SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જવામાં તેઓ પોતે વિનમ્ર અને ગુણગ્રાહી હતા. તેમ છતાં દંભી કે અભિમાની વ્યક્તિથી અંજાઈ જાય તેવા તેઓ નહોતા. વ્યક્તિ સત્ત્વશીલ લાગે તો ‘સંઘ’ના કાર્યાલયમાં તેનો વાર્તાલાપ ગોઠવે. વાર્તાલાપ સારો લાગે તો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ તેનું વ્યાખ્યાન ગોઠવે. એક દિવસ ઋષભદાસ રાંકાનો ફોન આવ્યો : જબલપુરથી એક પ્રોફેસર આવ્યા છે. મળવા જેવા છે.’” પરમાનંદભાઈએ મને વાત કરી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે હું ભણાવતો હતો એટલે પરમાનંદભાઈએ મને સાથે લઈ જવાનું વિચાર્યું. સમય નક્કી થયો એટલે સંદેશો આવ્યો. એમની સાથે ઋષભદાસ રાંકાને ઘેર અમે પહોંચ્યા. ઊંચા, આછા શ્યામવર્ણા, દાઢીવાળા, મસ્તકે સહેજ ટાલવાળા, ખાદીનાં કફની અને પાયજામો પહેરેલા બહુ તેજસ્વી મુખમુદ્રાવાળા એ પ્રોફેસરનો પરિચય કરાવતાં શંકાજીએ કહ્યું, ‘‘આ પ્રોફેસર રજનીશ છે. જબલપુરમાં ફિલોસૉફીના પ્રોફેસર છે. ભગવાન મહાવીર વિશે સારું બોલે છે. આપણે ત્યાં બોલાવવા જેવા છે.' પ્રો. રજનીશ સાથે જુદા જુદા વિષયો ઉપર અમારે કલાકેક વાતચીત થઈ. બહાર નીકળી પરમાનંદભાઈએ કહ્યું, “માણસ જાણકાર અને મૌલિક વિચારવાળા લાગે છે. ભારત જૈન મહામંડળે એમનું વ્યાખ્યાન ગોઠવ્યું છે. આપણે પહેલાં એમને સાંભળવા જોઈએ. સાથે તમે આવજો.’’ અમે રજનીશને સાંભળવા ગયા. એમની મૌલિક વાધારાથી પ્રભાવિત થયા. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે ૫૨માનંદભાઈએ એમને નિમંત્રણ આપ્યું. પછી તો પ્રો. રજનીશનું વ્યાખ્યાન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વારંવાર ગોઠવાતું ગયું. પરમાનંદભાઈ રજનીશ ૫૨ આફરીન હતા. તેમની કેટલીક શિબિરોમાં પણ તેઓ ગયા હતા. તુલસીશ્યામની શિબિરમાં મને પણ સાથે લેતા ગયા હતા. આવ્યા પછી એ શિબિરના પ્રતિભાવરૂપે ‘પ્રબુદ્ધ જીવન’માં એક લેખ મેં લખેલો. એમાં રજનીશજીના વિચારોમાં રહેલી કેટલીક અસંગતિનો મેં નિર્દેશ કરેલો તે પરમાનંદભાઈને ગમેલું નહિ. પરંતુ ત્યાર પછી થોડા સમયમાં રજનીશે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રેમ’ (સંભોગ-સમાધિ) વિશે વ્યાખ્યાન આપીને પરમાનંદભાઈ સહિત બધાંને ચોંકાવી નાખેલાં. ત્યારથી પરમાનંદભાઈએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રજનીશનાં વ્યાખ્યાનો ઉપર પડદો પાડી દીધેલો. પરમાનંદભાઈમાં નિખાલસતાની સાથે નીડતરતા પણ હતી. એમણે તરત જ પ્રબુદ્ધ જીવનમાં રજનીશ વિશે લેખ લખીને પોતાના ભ્રમ-નિરસનની વાત કરી હતી. પરમાનંદભાઈના મુંબઈના જાહેર જીવનથી અનેક લોકો સુપરિચિત હતા. તેઓ જ્યાં જાય ત્યાં ઘણા બધા પિરિચત લોકો સાથે એમની વાતચીત ચાલતી. એક દિવસ ૫૨માનંદભાઈનો ફોન આવ્યો. કહ્યું, “એક આર્યસમાજી ભાઈએ પોતાના પરમાનંદભાઈ કાપડિયા ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy