SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવનને ૨૫ વર્ષ પૂરાં થયાં એની રજત યંતીના કાર્યક્રમનું સરસ આયોજન આપણે કર્યું છે. આ પ્રસંગે બીજી પણ એક આનંદની વાત ચાલે છે. કેટલાક મિત્રો મારી પાસે આવ્યા હતા. તેઓએ એવો વિચાર વ્યક્ત કર્યો છે કે રૂપિયા પચીસ હજાર એકઠા કરવા અને પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે મેં જે કાર્ય કર્યું છે તેની કદરરૂપે એ થેલી મને અર્પણ કરવી. હું એ થેલી રાખીશ નહિ, પણ જૈન યુવક સંઘને અર્પણ કરી દઈશ. તમને આ વિચાર કેમ લાગે છે ?" દીપચંદભાઈએ કહ્યું, “પરમાનંદભાઈ! મને આ વિચાર બરાબર લાગતો નથી. જૈન યુવક સંઘના ઇતિહાસમાં હોદ્દા પરની વ્યક્તિને સભ્યો થેલી અર્પણ કરે એવી ઘટના હજુ બની નથી. એક વખત જો એમ બનશે તો ખોટી અને ટીકાપાત્ર પરંપરા ચાલુ થશે.” પરમાનંદભાઈએ કહ્યું, “આ થેલીની રકમ મારે પોતાને તો લેવાની છે જ નહિ. એ રકમ હું “સંઘને અર્પણ કરી દેવા ઇચ્છું છું. મિત્રોને એ માટે મેં સંમતિ પણ આપી દીધી છે. સમિતિના બીજા કેટલાક સભ્યોએ પણ એ માટે પોતાની અનુમતિ જણાવી છે. પરંતુ તમે પ્રામાણિકપણે તમારો જુદો વિચાર દર્શાવ્યો તેથી આનંદ થયો. મારે એ બાબતમાં ફરીથી વિચાર કરવો જ જોઈએ.” દીપચંદભાઈએ કહ્યું, “તમે તો નિખાલસતાથી બધાને સાચી વાત કરી શકો. તેમ છો. તમે થેલી ન લો એ તમારા અને સંસ્થાના હિતમાં છે એમ મને લાગે છે. પછી તો તમને બધાને જેમ યોગ્ય લાગે તેમ કરો.' બીજે દિવસે સાંજે પરમાનંદભાઈ હોસ્પિટલમાં ફરી પાછા આવ્યા અને દીપચંદભાઈને કહ્યું: “ગઈ કાલની વાતનું મેં બહુ મનન કર્યું છે. મને એમ લાગ્યું છે કે તમારો અભિપ્રાય સાચો છે. મેં બધા મિત્રોને જણાવી દીધું છે કે હું કાંઈ સ્વીકારવાનો નથી માટે થેલીની વાત હવે પડતી મૂકી દેવી જોઈએ. જેમને રકમ આપવી હોય તે સીધી યુવક સંઘના રજત જયંતી ફંડમાં આપે.” પરમાનંદભાઈએ આ રીતે બહુ જ નિખાલસતાથી સભ્યોને આગ્રહ કરીને થેલી અર્પણ કરવાનો વિચાર માંડી વળાવ્યો હતો. પરમાનંદભાઈને નવી નવી વ્યક્તિઓને મળવાનો ભારે શોખ હતો. દૈનિક છાપાંઓમાં કે કોઈ સામયિકમાં કોઈ નવી વ્યક્તિનો પરિચય આવ્યો હોય તો પરમાનંદભાઈ કોઈકનો સંપર્ક કરી તે વ્યક્તિ વિશે તપાસ કરાવી તેને મળવા પહોંચી જતા. અધ્યાપક હોય કે વિજ્ઞાની હોય, અર્થશાસ્ત્રી હોય કે રાજનેતા હોય, સમાજસેવક હોય કે સાધુ-સંન્યાસી હોય, પરમાનંદભાઈ તેને મળવા ઉત્સુક રહેતા. સાથે મિત્રોને પણ લઈ જતા. એવી રીતે પોતાને અપરિચિત એવી વ્યક્તિને મળવા ૧૧૪ - ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy