SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્ર કે સંબંધીના ઘરની મુલાકાત લેવાની હતી. ઘણા મિત્રોને કહેતાં સાંભળ્યા છે કે પરમાનંદભાઈ સવારે પોણા સાત વાગે અચાનક તેમના ઘરે જઈ ચડ્યા હોય. અનેક વખત અમને પણ એમની મુલાકાતનો લાભ મળ્યો છે. વહેલી સવારે જવાથી માણસ અચૂક મળે છે. અને સવારનો સમય હોવાથી ઝાઝું બેસવાનું ન હોય. એ રીતે પરમાનંદભાઈ સવારના સમયે પોતાના સામાજિક સંબંધો વિનમ્ર ભાવે સાચવતા. એમનામાં કોઈ મોટાઈ ન હતી. પોતે જાય છે માટે સામી વ્યક્તિએ પોતાના ઘરે આવવું જ જોઈએ એવી બદલાની કોઈ અપેક્ષા પણ તેઓ રાખતા નહિ. મારે અને મારાં પત્નીએ કૉલેજમાં ભણાવવા માટે આઠ વાગે ઘરેથી નીકળી જવાનું હોય. પરંતુ પરમાનંદભાઈ અમારા ઘરે આવે તે અમને બહુ જ ગમતું અને એમની સાથે એક કલાકનો જે સમય મળે તેમાં ઘણી વાતચીત થતી. એક રીતે જોઈએ તો પરમાનંદભાઈએ જુદી જુદી પ્રવૃત્તિ વિશે અને બાબતો વિશે પ્રત્યક્ષ વિનિમય કરવા માટે આ એક સારી રસમ અપનાવી હતી. એક દિવસ સવારમાં પરમાનંદભાઈ અમારા ઘેર આવી ચડ્યા. તે દિવસે એમના ચહેરા પર સ્મિત ન હતું. જોતાં જ અમે પૂછ્યું, “આજે કેમ બહુ પ્રફુલ્લિત જણાતા નથી ?" તરત તેમણે કહ્યું, “તમારી વાત સાચી છે. ગઈકાલથી હું બહુ ચિંતામાં છું. મારી મોટી દીકરી મધુરીની તબિયત સારી નથી. માથામાં કંઈ ગાંઠ હોય તેમ જણાય છે. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. તેવા ભારે જોખમકારક ઓપરેશન માટે ભારતમાં સગવડ કે દાક્તરો નથી. લંડન જવું પડશે. મધુરી મારી સૌથી મોટી દીકરી છે. મને એના માટે વિશેષ લાગણી છે. એટલે મને બહુ ચિંતા રહે છે.” બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. ત્યાર પછી થોડા દિવસમાં જ મધુરીબહેનને લંડન લઈ જવામાં આવ્યાં. ઓપરેશન થયું. સફળ નીવડ્યું, પરંતુ એટલા દિવસોમાં દર બીજે દિવસે સવારે પરમાનંદભાઈ અમારા ઘરે આવી પોતાની ચિંતા વ્યક્ત કરતા. એમના વત્સલ પિતૃહૃદયની ત્યારે સવિશેષ પ્રતીતિ થયેલી. ઈ. સ. ૧૯૫૪ની સાલ હશે. પ્રબુદ્ધ જીવનને ૨૫ વર્ષ પૂરાં થયાં. યુવક સંઘ તરફથી બહુ મોટા પાયા ઉપર આ પ્રસંગ ઊજવવાનું નક્કી થયું હતું. તે દિવસોમાં મારા સસરા સ્વ. દીપચંદભાઈ નાદુરસ્ત તબિયતના કારણે હરકિસનદાસ હૉસ્પિટલમાં હતા. દીપચંદભાઈ સાત વર્ષ સુધી યુવક સંઘના મંત્રી રહ્યા હતા. પરમાનંદભાઈના તે જૂના સાથીદાર. પરમાનંદભાઈ હોસ્પિટલમાં થોડે થોડે દિવસે એમની ખબર જોવા આવતા. એક દિવસ પરમાનંદભાઈએ કહ્યું, “દીપચંદભાઈ, પરમાનંદભાઈ કાપડિયા ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy