SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ધન્યતાનો અનુભવ કરાવે એવી હતી. મોરારજીભાઈ શિસ્તપાલનના કડક આગ્રહી હતા. હું તો કોંગ્રેસનો સૈનિક છું' એવું તેઓ ત્યારે ઘણી વાર કહેતા. પોતે સત્તા પર હતા ત્યારે સમયની પાબંધી એમને પાળવી પડતી. પરંતુ વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી મુંબઈમાં પોતાના નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એમને મળવા સહેલાઈથી જઈ શકાતું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિમંત્રણ આપવાને નિમિત્તે, વિષય, તારીખ વગેરે નક્કી કરવા માટે મારે એમને મળવા જવાનું થતું. તેઓ કહેતા કે “એ માટે મુલાકાતનો સમય નક્કી કરવાની આવશ્યકતા નથી. ગમે ત્યારે ઘરે આવી શકો છો. હું આખો દિવસ ઘરમાં જ હોઉં છું.” આવા મોટા નેતાનો વધુ સમય આપણે ન બગાડવો જોઈએ એમ સમજી હું ઊઠવાની ઉતાવળ કોઈ વાર કરતો તો તેઓ કહેતા કે “તમારે કામ હોય તો જજો. પરંતુ મારા સમયની ચિંતા કરીને ઉતાવળ કરવાની જરૂર નથી. તેમની સાથે અનેક વિષયોની વાતચીત થઈ શકતી, કારણ કે તેમનું વાચન ઘણું વિશાળ હતું. એક વખત મુંબઈમાં વ્યાખ્યાનમાળામાં બિરલા કીડા કેન્દ્રના હૉલમાં મારું અને મોરારજીભાઈનું એમ બે વ્યાખ્યાનો સાથે હતાં. મારું વ્યાખ્યાન શરૂ થવાને વાર હતી. મોરારજીભાઈ હજુ આવ્યા નહોતા. ભક્તિસંગીત શરૂ થઈ ગયું હતું. એવામાં મંચ ઉપર અચાનક મને બેઠાં બેઠાં ચક્કર આવી ગયાં. રાતના ઉજાગરાની અસર હશે. વ્યાખ્યાનમાળાના આયોજનની ચિંતા પણ ખરી. વળી મોરારજીભાઈનો સમય સાચવવાની જવાબદારી પણ હતી. તરત હું ભાનમાં આવ્યો. મને બહાર લઈ જવામાં આવ્યો. કોફી પીધી અને સ્વસ્થ થયો. પછી મારું વ્યાખ્યાન આપ્યું. દરમિયાન મોરારજીભાઈ મંચ ઉપર નિયત સમયે આવી પહોંચ્યા. કોઈકે એમને મને ચક્કર આવ્યાની વાત કરી. મોરારજીભાઈએ મને પૂછ્યું, કેમ શું થયું ? કેમ ચક્કર આવ્યાં ?” મેં હસતાં હસતાં કહ્યું, ‘તમારી બીકને લીધે ચક્કર આવ્યાં. એમણે કહ્યું, “મારી આટલી બીક લાગે છે ? હું કંઈ એટલો બિહામણો નથી. આવું ખોટું ન બોલો.' મોરારજીભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં છે. એમની રાજકીય કારકિર્દીમાં ઊજળી અને નબળી એમ બેય બાજુ છે. He is the most misunderstood politician એવું પણ કહેવાયું છે. તેમ છતાં એમની કહેલી અને કરેલી બાબતો કેટલી સાચી હતી એ તો સમય જ પુરવાર કરી શકશે. ભાવિ ઇતિહાસકાર મોરારજીભાઈને વધુ સારો ન્યાય આપી શકશે. મોરારજીભાઈના યત્કિંચિત્ સંપર્કમાં આવવાનું મારે થયું અને હું મારું સદ્ભાગ્ય સમજું છું. એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી છું. (વંદનીય હૃદયસ્પર્શમાંથી) ૧૧૦ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy