SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ this advice were much wiser than me and this realisation made me think about how to act on the dictum.” મોરારજીભાઈમાં સત્ય વિશેની આ દૃષ્ટિ મોડી મોડી પણ આવી તેથી એમનાં છેલ્લાં ઘણાં વર્ષો શાંતિ અને સમત્વના પુરુષાર્થરૂપ બની રહ્યાં. આ દષ્ટિ એમના તપતા મધ્યાહુનકાળમાં ખીલી હોત તો મોરારજીભાઈ માટે જે કેટલાક વિવાદો સર્જાયા તે ન સર્જાયા હોત અને તેમના માટેની લોકચાહના ઘણી વધુ હોત. - ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન એમના પુત્ર સંજય ગાંધી વગર હોદ્દાએ સરકારી સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લેતા હતા તે પ્રત્યે મોરારજીભાઈ પોતાની નાપસંદગી દર્શાવતા હતા અને કહેતા હતા કે જો આમ જ ચાલ્યા કરશે તો સંજય ગાંધીને અંકુશમાં રાખવાનું ઇન્દિરા માટે ભારે થઈ પડશે. સંજય ગાંધીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે ઇન્દિરા ગાંધીએ તે સ્થળે પહોંચીને તરત સંજયની ઘડિયાળ અને ચાવી માટે તપાસ કરી હતી અને તે પોતાના કબજામાં લઈ લીધી હતી. મેં મોરારજીભાઈને એ વિશે પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે, “એવી વાત આવી છે કે સંજયની ઘડિયાળમાં નાનું ટેપરેકોર્ડર છે અને એની અંદર સ્વિસ બૅન્કના એકાઉન્ટના કોડવર્ડ રાખેલા છે. એટલા માટે ઇન્દિરા ગાંધીએ તે કોઈના હાથમાં ન જાય તેની ચીવટ રાખી હતી, પણ આ મારી પાસે આવેલી વાત છે. સાચું શું છે તે કોણ કહી શકે? મુંબઈમાં અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક વખત મોરારજીભાઈ પધાર્યા હતા. ત્યારે મેં એમને મારું પાસપોર્ટની પાંખે' નામનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પુસ્તક સ્વીકારતાં કહ્યું હતું કે, “તમે પુસ્તક ભેટ આપ્યું છે તે સ્વીકારું છું, પણ હું તે કંઈ વાંચવાનો નથી. મને એટલો ટાઈમ પણ નહિ મળે. મેં કહ્યું કે, “આપના જેવા આટલી બધી જવાબદારી અને આટલા બધા કામવાળા માણસને મારું પુસ્તક વાંચવાનો સમય ન મળે તે હું સમજું છું તેમ છતાં આપની પાસે મારું પુસ્તક હોય એટલી પણ મારા માટે આનંદ અને સંતોષની વાત છે.' - ત્યાર બાદ કેટલાક વખત પછી મોરારજીભાઈને મળવા જવાનું બન્યું. હું ઘરમાં અંદર ગયો ત્યારે તેમણે કહ્યું કે, હું તમારું પુસ્તક “પાસપોર્ટની પાંખે' વાંચી રહ્યો છું. આમ તો વાંચવું નહોતું પણ તમે આમાં “ગાતાં ફળ' નામનો પ્રસંગ લખ્યો છે તે વિશે જિજ્ઞાસા થઈ. તે વાંચ્યા પછી મને રસ પડ્યો અને એમ કરતાં કરતાં અડધું પુસ્તક તો વંચાઈ ગયું. હવે તે વાંચી પૂરું કરીશ.” મોરારજીભાઈ જેવી વ્યક્તિ મારું પુસ્તક રસપૂર્વક વાંચે એ વાત જ મારા મોરારજી દેસાઈ - ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy