SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ G8 પરમાનંદભાઈ કાપડિયા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખ્ય સૂત્રધાર તરીકે પચીસ કરતાં વધુ વર્ષ સુધી કાર્ય કર્યું હતું. તેઓ એક પ્રતિભાશાળી ચિંતનશીલ લેખક અને સમાજસુધારક હતા. ૭૮ વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. પરમાનંદભાઈનું સહજ સ્મરણ થતાં જ નજર સામે ખિલખિલાટ હસતો એક પ્રસન, પ્રફુલ્લિત ચહેરો તરવરે છે. પરમાનંદભાઈનું વ્યક્તિત્વ જ એટલું બધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એમના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેમને ભૂલી ન શકે. પરમાનંદભાઈ એટલે આજીવન સૌદર્યોપાસક. જીવનમાં અને પ્રકૃતિમાં જ્યાં જ્યાં સુંદરતા દેખાય ત્યાં ત્યાં પરમાનંદભાઈ તેની કદર કર્યા વગર રહી ન શકે. પ્રકૃતિનાં વિવિધ સૌંદર્યસ્થળો નજરે નિહાળવાનો તેમને ભારે શોખ હતો. બીજી બાજુ જીવનમાં પણ નાના બાળકથી માંડીને કોઈમાં પણ સગુણની સુંદરતા જણાય ત્યાં પરમાનંદભાઈ તેનો સ્વીકાર-પ્રશંસા માટે હંમેશાં અત્યંત ઉત્સુક હોય. પરમાનંદભાઈ પોતાની યુવાનીના દિવસોમાં જ મહાત્મા ગાંધીજીના નિકટના સંપર્કમાં આવેલા. એટલે એમના સમગ્ર જીવન ઉપર ગાંધીજીની પ્રબળ અસર પડેલી. ગાંધીજી સાથે ક્યારેક તેમને પત્ર-વ્યવહાર પણ. થયેલો. ગાંધીજી ઉપરાંત કાકા કાલેલકર અને પંડિત સુખલાલજી સાથે પણ તેમને ઘનિષ્ઠ સંબંધ હતો અને એ બંને તત્ત્વચિંતકોની જીવનલક્ષી વિચારસરણીની પ્રબળ અસર પણ પરમાનંદભાઈનાં જીવન અને કાર્ય ઉપર પડેલી. કાકા કાલેલકરના સૂચનથી જ પરમાનંદભાઈએ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જેનનું નામ બદલીને “પ્રબુદ્ધ જીવન' રાખેલું અને પરમાનંદભાઈ કાપડિયા પર ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy