SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે બેસી જાઉં છું. ઘણી વાર પેસેન્જરો મારી સાથે તોછડી ભાષા વાપરે, આઘા બેસવાનું કહે. હું વિના સંકોચે તેમ કરું છું. પરંતુ થોડી વાતચીતમાં લોકોને સમજાઈ જાય કે હું કોઈ સુશિક્ષિત માણસ છું, મુફલિસ નથી એટલે લોકો સારી રીતે વર્તવા લાગે છે. કોઈ વાર થેલીમાંથી કોઈ ગ્રંથ વાંચવાનું ચાલુ કરું તો મારા ધર્મ અને આચાર વિશે કહું, પરંતુ તેમ કહેવામાં ત્યાગ વિશે અભિમાનયુક્ત વચન ન આવી જાય એની ખાસ તકેદારી રાખું છું. કોઈ વાર ટિકિટ-ચેકરો પણ શંકા કરે કે હું ટિકિટ લીધા વિના બેઠો હોઈશ. રૂઆબથી ટિકિટ માગે, કોઈક વાર તો પૂછયા વગર જ ઊતરી જવાનો હુકમ છોડે. હું ટિકિટ બતાવું એટલે શાંત થાય. રેલવેના પોતાના અનુભવો વર્ણવતાં એમણે કહેલું કે પોતે પૈસા પાસે રાખે નહિ અને કોઈ વાર રેલવેનું ભાડું વધી ગયું હોય અને પોતાની પાસે જૂના ભાડાની ટિકિટ હોય તો ટિકિટ-ચેકર અધવચ્ચે જ ઉતારી દે. કોઈને ફોન કરવો હોય તો પણ પૈસા ન હોય. પૈસા વગર ઘણી તકલીફ પડતી. એટલે છેવટે પાસે જરૂર પૂરતા થોડા રૂપિયા રાખવાનું ચાલુ કર્યું હતું. એક વખત જોહરીમલજીને મેં પૂછ્યું કે ક્યાંક રાતને વખતે રસ્તામાં એકલા જવાનું થાય તો કોઈકને વહેમ પડે કે આ માણસ કોણ હશે? તમને એવા અનુભવ થયા છે? “એવા અનુભવો ઘણી વાર થયા છે, પણ એથી મારા મનમાં કોઈને માટે ચીડ કે અભાવ નથી થતો. એ મારા જીવનનો ક્રમ છે.” પોતાનો જોધપુરનો એક અનુભવ એમણે વર્ણવ્યો હતો. જોધપુરમાં જૈન સમાજમાં તો બધા જ એમને ઓળખે. એક વખત ટ્રેન મોડી પડતાં પોતે રાત્રે એક વાગે જોધપુર પહોંચ્યા. શિયાળાની ઠંડીના દિવસો હતા. એટલે પાસેના એક જૈન મંદિરમાં ગયા. ચોકીદાર એમને ઓળખતો હતો. દરવાજો ખોલી અંદર એક ખૂણામાં સૂવાની સગવડ કરી આપી. હવે ચોકીદારની ડ્યૂટી સવારે પાંચ વાગ્યા સુધી હતી. પાંચ વાગ્યે બીજો ચોકીદાર આવ્યો. તે નવો હતો. જૂના ચોકીદારે એમના વિશે કશી વાત કરેલી નહિ. નવા ચોકીદારે એક ખૂણામાં મને ઊંઘતો જોઈ કોઈ ચોર ભરાયો છે એમ સમજી બૂમાબૂમ કરી મૂકી. મને ઉઠાડીને ધક્કા મારીને બહાર કાઢ્યો. રાતનો વખત હતો એટલે પોતાને મૌન હતું. જોહરીમલજી કશું જ બોલ્યા નહિ. સવાર થઈ ગઈ હતી એટલે જોહરીમલજી પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા. ખબર પડતાં દેરાસરના ટ્રસ્ટીઓ એ ચોકીદારને લઈ એમને માફી માગવા આવ્યા. પરંતુ જોહરીમલજીએ કહ્યું કે એમાં ચોકીદારનો કંઈ જ વાંક નથી. એણે એની ફરજ બજાવી છે, અને પોતાને એથી કશું માઠું લાગ્યું નથી. જોહરીમલજી પારખ ન ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy