SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત મેં એમને પૂછેલું કે, આપણા જૈન સાધુઓના વેશને કારણે ગામમાં દાખલ થતાં કૂતરાંઓ ભસે છે. હાથમાં દાંડો હોય એટલે કરડે નહિ, પણ તમારો વેશ એવો છે કે કૂતરાં જરૂર ભસે.' એમણે કહ્યું, દિવસે તો બહુ વાંધો નથી આવતો. લોકોની અવરજવર સારી હોય ત્યારે પણ તકલીફ નથી પડતી. પરંતુ સાંજે કે રાત્રે એકલો ચાલ્યો જતો હોઉં તો કૂતરાં ભસે છે. કોઈ વાર કઈ દિશામાંથી કૂતરું દોડતું આવીને કરડી જાય તેની પણ ખબર ન પડે. જ્યારથી એ વેશ ધારણ કર્યો છે ત્યારથી એટલે કે છેલ્લાં વીસેક વર્ષથી વરસમાં સરેરાશ પાંચ-છ વખત કૂતરું કરડે છે. એટલે મારે માટે એની કોઈ નવાઈ નથી. મેં ક્યારેય કૂતરાને મારવાનો, ભગાડવાનો પ્રયત્ન કર્યો નથી કે કૂતરા ઉપર મને કોઈ ચીડ નથી.’ કૂતરું કરડે ત્યારે આપ એને માટેનાં ઇન્જેક્શનો લો છો ?" હું કોઈ દવા લેતો નથી. કૂતરું કરડે ત્યારે પડેલા ઘા ઉપર મરચું ભભરાવી દઉં છું. થોડા દિવસમાં મટી જાય છે.' “દુશ્મનો બીજાના ઘા ઉપર મીઠું ભભરાવે એવી લોકોક્તિ છે. પરંતુ આપ તો પોતાના ઘા ઉપર મરચું ભભરાવો છો. એ કેવી રીતે સહન થાય ?' પીડા ઘણી થાય, પણ એ તો દેહની પીડા છે. આત્માની નથી. એવી પીડાથી ભારે અશુભ કર્મનો જે ક્ષય થાય છે એનો ઊલટાનો આનંદ થાય છે.' આપ મરચું પાસે રાખો છો ?' ના, એની કંઈ જરૂર નથી. આખા ભારતમાં કોઈ પણ ઘરે ચપટી મરચું મળી રહે. કૂતરું કરડે ત્યારે નજીકના કોઈ ઘરે જઈને મરચું માગી લઉં.' પૂ. જોહરીમલજીની દેહાતીત દશા કેવી હતી એની આ વાતથી પ્રતીતિ થઈ હતી. ડિસેમ્બ૨, ૧૯૯૫માં શંખેશ્વર ખાતે જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. તેમનો પત્ર આવી ગયો હતો કે પોતે અમદાવાદ આવ્યા છે અને ત્યાંથી શંખેશ્વર આવશે. સંજોગવશાત્ સાહિત્ય સમારોહ મુલતવી રહ્યો. જોહરીમલજી જોધપુર પાછા ગયા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે રહેતાં એમને શરીરે ઠંડી ચડી ગઈ. તાવ આવ્યો. ન્યુમોનિયા થયો હતો. ઔષધ લેવાની કે હૉસ્પિટલમાં જવાની એમણે ના પાડી. દેહ છોડવાનું થાય તો ભલે થાય. એ માટે પોતે સ્વસ્થ ચિત્તે તૈયાર હતા. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એમનાં સ્વજનો મુંબઈથી જોધપુર પહોંચે તે પહેલાં એમણે દેહ મૂકી દીધો. એમના સ્વર્ગવાસના સમાચાર અમને તો એ રીતે મળ્યા કે પ્રબુદ્ધ જીવન'માં જૈનોની આત્મઘાતક માગણી' નામના છપાયેલા એમના લેખ માટે મનીઓર્ડરથી Jain Education International ૮૮ ચરિત્રદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy