SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું હતું કે હવે બે દિવસમાં એક જ વાર આહાર લેતો હોવાથી, જ્યારે આહાર લેવાનો થાય ત્યાર પહેલાં કરતાં સહેજ વધારે આહાર લેવાય છે કે જેથી બે દિવસ સુધી શક્તિ બરાબર જળવાઈ રહે છે. ઉપવાસને દિવસે તેઓ પાણી રોજ કરતાં થોડું વધારે પી લેતા. પ્રવાસમાં હોય તો કાચું પાણી પણ વાપરી લે. સાધુની દિનચર્યાની જેમ જોહરીમલજીને શૌચાદિ ક્રિયા માટે પણ બહાર ખુલ્લામાં જવાનું વધુ ગમે. શહેરમાં હોય અને આસપાસ શૌચાદિ માટે સગવડ ન હોય તો સંડાસ વગેરેનો ઉપયોગ કરતા. અન્યથા તેઓ ચુસ્ત નિયમ પાળતા. દિગંબર સાધુની જેમ તેઓ એક વખત શૌચાદિ માટે બહાર જતા. સામાન્ય રીતે તે સિવાય બીજી વાર લઘુનીતિ માટે પણ જવાની જરૂર પડતી નહિ. રોજ એક ટંક આહા૨ના બદલે આંતરે દિવસે ઉપવાસ એમણે ચાલુ કર્યા ત્યાર પછી શૌચક્રિયા માટે રોજ એક વા૨ જવું પડતું. કેટલાક સાધુઓ એકાંતરે ઉપવાસ ચાલુ કરે પછી શૌચક્રિયા પણ એકાંતરે થતી હોય છે. પરંતુ જોહરીમલજી સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે એકાંતરે ઉપવાસ કરવા છતાં પોતાની શૌચક્રિયા પહેલાંની જેમ જ રોજેરોજ નિયમિત રહેતી. પોતાના મસ્તકના અને મૂછદાઢીના વાળનો તેઓ લોચ કરતા અથવા કાતરથી કાપતા, એ અંગે પણ તેઓ સાધુના જેવો આચાર રાખતા. પાંચ-પંદર માઈલ ચાલવું એ એમને મન રમત વાત હતી. સિત્તેરની ઉંમરે તેઓ પહોંચ્યા હતા ત્યારે પણ એકવડા, સુકલકડી શરીરને લીધે તેઓ ઝડપથી ચાલી શકતા. શરીરમાં સંધિવા કે બીજો કોઈ રોગ નહોતો. સમેતશિખરમાં તેઓ અમારી સાથે હતા ત્યારે પર્વતિથિના નિયમને કારણે તેઓ પહાડ ઉપર ગયા નહોતા. છેલ્લે દિવસે અમારી બસ બપોરે એક વાગે ઊપડવાની હતી. એમની ભાવના પહાડ ૫૨ જઈ યાત્રા ક૨વાની હતી. એમણે કહ્યું કે, પોતે બસ ઊપડે તે પહેલાં આવી પહોંચશે. એમને માટે થઈને અમારે ખોટી થવું નહિ. પોતે બસ ચૂકી જશે તો ટ્રેનમાં કલકત્તા આવી પહોંચશે. તેઓ વહેલી સવારે ઊઠીને પહાડ પર ચઢ્યા. બધે જ દર્શન કર્યાં. ઠેઠ ચંદ્રપ્રભુની ટૂંક સુધી જઈ આવ્યા. સાડાબાર વાગતામાં તો તેઓ નીચે આવી પહોંચ્યા. તેમનો ઉપવાસનો દિવસ હતો. આટલો શ્રમ લેવા છતાં તેમના ચહેરા ૫૨ થાક નહોતો. એમની શારીરિક શક્તિ અને દૃઢ મનોબળ જોઈ અમે મનોમન તેમને વંદન કરી રહ્યા. રેલવે કે બસમાં પ્રવાસ કરવામાં પોતાને કેવા કેવા અનુભવો થાય છે તે વિશે એમણે કહેલું કે ટ્રેનમાં હું રિઝર્વેશન કરાવીને જતો નથી. બીજા ડબ્બાઓમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઉં છું. ઘણી વાર બેઠક ૫૨ જગ્યા ન હોય તો હું ૮૬ : ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy