SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દોડતો આવ્યો. તે વખતે શિષ્યો ગભરાઈ ગયા, પરંતુ સ્વસ્થતાપૂર્વક ચાલતા સ્વામીજીએ શિષ્યોને નવકારમંત્રનું રટણ કરતાં કરતાં પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું, એથી સિંહ ત્યાં જ બેસી ગયો અને આક્રમણ કરવાને બદલે એકીટશે સ્વામીજીને નિહાળતો રહ્યો હતો. વિ. સં. ૧૮૪૬માં અજરામરસ્વામીએ બીજી વાર માળિયાથી વિા૨ કરીને કચ્છનું રણ ઊતરીને એક ગામમાં મુકામ કર્યો હતો. તે વખતે કચ્છના કારભારી મૂર્તિપૂજક જૈન આગેવાન વાઘજી પારેખને કચ્છના મહારાવ સાથે કંઈક અણબનાવ થયાની વાત વહેતી થઈ હતી. અજરામરસ્વામી કચ્છના આ ગામમાં કોઈક શ્રાવકના ઘરના બહારના ભાગમાં ઊતર્યા હતા. રાત્રે તેઓ સંથારો કરતા હતા ત્યારે અંધારામાં એક માણસ આવતો તેમને દેખાયો. સ્વામીજીએ પૂછ્યું, ‘કોણ ? વાઘા પારેખ છો ?' પોતાનું નામ અજરામરજીના મુખેથી સાંભળતાં વાઘા પારેખને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. સ્વામીજીએ વાઘા પારેખને બેસાડી કહ્યું, ‘કચ્છના મહારાવે તમારા ઉ૫૨ ગુસ્સો કર્યો છે, એથી ગભરાઈને તમે સંતાતા ફરો છો. કચ્છ છોડીને ભાગી જવાનું તમે વિચારો છો. પરંતુ તેમ કરવાની તમારે જરૂર નથી. હિંમત અને ધીરજ રાખો. મહારાવશ્રીને એક અગત્યનું કામ પડશે ત્યારે તમારા સિવાય બીજું કોઈ એ કામ કરી શકશે નહિ. એ વખતે મહારાવશ્રી તમને બોલાવશે. ત્યારે તમારા હાથે કચ્છની પ્રજાની સેવા કરવાનું મોટું કામ થશે.’ અજરામરસ્વામીએ કહેલી એ વાત બિલકુલ સાચી પડી. મહારાવશ્રીએ કામ પડ્યું એટલે વાઘા પારેખને બોલાવ્યા. બંને વચ્ચે સુમેળ પહેલાંના જેવો થઈ ગયો. મહારાણીએ તો પોતાના ભાઈ તરીકે તાઘા પારેખને ઓળખાવ્યા. કારભારી તરીકેની બધી જવાબદારી તેમને પાછી સોંપવામાં આવી. ત્યારથી વાઘા પારેખને અજરામરસ્વામીના વચનમાં અતૂટ વિશ્વાસ બેસી ગયો હતો. અજરામરસ્વામીએ કચ્છમાં ત્રણ વખત વિહાર કર્યો હતો. એ દિવસોમાં કાઠિયાવાડથી વિહાર કરીને કચ્છમાં જવાનું એટલું સરળ નહોતું. વિાર બહુ લાંબા અને કપરા રહેતા. તેમ છતાં લોકોની ધર્મભાવનાને અનુસરી અજરામરસ્વામીએ કચ્છમાં કુલ છ જેટલાં ચાતુર્માસ કર્યાં હતાં. વિ. સં. ૧૮૪૬માં માંડવીમાં ચાતુર્માસ હતું, ત્યારે વાઘજી પારેખની ઇચ્છા હતી કે સ્વામીજી પોતાના ભુજ નગરમાં પધારે. એ દિવસોમાં સ્થાનકવાસી સાધુઓને ભુજમાં પધારવાની રાજ તરફથી મનાઈ હતી, તે વાઘજી પારેખે રદ કરાવી હતી અને સ્વામીના નગપ્રવેશ વખતે બૅન્ડવાજાં ∞ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy