SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વગાડવામાં ન આવે તે વિશે પણ સંઘને સૂચના આપી હતી. અજરામરસ્વામીએ કચ્છમાં જે ચાતુર્માસ કર્યા તેમાં માંડવીની દરિયાની હવા અને પાણીને કારણે તેમને સંગ્રહણીનું તથા પગમાં વાનું દર્દ ચાલુ થયું હતું. ઘણા ઉપચારો કરવા છતાં તેમાં ફરક પડ્યો નહોતો. અલબત્ત, ત્યાર પછી પણ તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વિહાર કર્યો હતો. પરંતુ અશક્તિ વધતાં વિ. સં. ૧૮૬૪માં લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી તેમને લીંબડીમાં સ્થિરવાસ કરવો પડ્યો હતો. લીંબડીમાં તેમને મળવા માટે ચારે બાજુથી અનેક સંત-સતીઓ પધારતાં. એક વખત અમદાવાદથી શત્રુંજયની યાત્રાનો મોટો સંઘ નીકળ્યો હતો. તે લીંબડી થઈને પસાર થતો હતો. તે સંઘમાં આવેલા કેટલાક યતિઓ અજરામર સ્વામીને મળવા આવેલા અને તેમની સાથે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રચર્ચા કરતી વખતે તેઓ બહુ જ પ્રભાવિત થયા હતા. વિ. સં. ૧૮૬ ૮ના ચાતુર્માસમાં અજરામરસ્વામીની પ્રેરણાથી લીંબડીમાં ઘણી તપશ્ચર્યા થઈ હતી. તેમાં ૩૯ જેટલાં તો માસખમણ થયાં હતાં અને તે તપશ્ચર્યામાં મૂર્તિપૂજક સંપ્રદાયે પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિ. સં. ૧૮૭૦માં શ્રાવણ મહિનામાં અજરામરસ્વામીની તબિયત વધુ બગડતી ગઈ. દીક્ષા પર્યાયનાં પચાસ વર્ષ અને આચાર્ય પદવીનાં પચીસ વર્ષ પૂરાં કર્યા હતાં. પોતાનો અંતકાળ નજીક આવતો જાણીને તેમણે સંથારો લઈ લીધો. ક્ષમાપના કરી લીધી. નવકારમંત્રનું રટણ કરતાં કરતાં શ્રાવણ વદ-૧ની રાત્રે એક વાગે તેમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ઝડપથી ચારે બાજુ પ્રસરી ગયા અને શ્રાવણ વદ-૫ના દિવસે એમના દેહના અગ્નિસંસ્કાર વખતે ચારે બાજુથી હજારો માણસો આવી પહોંચ્યા હતા. લગભગ બાસઠ વર્ષના આટલા અલ્પ આયુષ્યકાળમાં સ્વ. પૂ. અજરામરસ્વામીએ ઘણીબધી સિદ્ધિઓ મેળવી હતી. જૈન શાસન ઉપર તેમનો ઘણોબધો ઉપકાર રહ્યો છે. પોતાના હૃદયની વિશાળતા અને ઉદારતાને કારણે જૈનોના તમામ સંપ્રદાયના લોકોનાં તેમ જ જૈનેતર લોકોનાં હૃદયમાં તેમણે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એથી જ એમના નામથી ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓની સ્થાપના થઈ છે અને બે સૈકા પછી પણ અનેક લોકો એમનું ભાવપૂર્વક સ્મરણ કરે છે. પ્રભાવક સ્થવિરો, ભા. ૩માંથી) શ્રી અજરામર સ્વામી ક ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy