SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે માફક આવે છે. એક વખત એમણે કહેલું કે અમને સાધુઓને વૃદ્ધાવસ્થામાં પ્રકૃતિને અનુકૂળ ગોચરી ન મળે તો આખો દિવસ બગડી જાય અને તબિયત પણ બગડે. એમની પિત્તની તકલીફને કારણે મરચાં વગરની ગોચરી અનુકૂળ રહેતી. છતાં કોઈક વાર કોઈક ઘરેથી અજાણતાં મરચાંવાળી વાનગી આવી જતી, એની અસર એમની તબિયત ઉપર થતી. યોગવિદ્યાના પણ તેઓ ઊંડા જાણકાર અને અભ્યાસી હતા. તેમને કેટલીક સ્વયંસ્કુરણા થતી. તેમની કુંડલિની જાગ્રત રહેતી. એથી જ પૂ. તત્ત્વાનંદવિજયજીને વિશાળ સાધુ-સમુદાયમાં વિચરવું ગમતું નહિ. વ્યવહારના નિયમને ખાતર પોતાની સાથે એકાદ સાધુને રાખવા પડતા, પણ મનથી તેમને તે પણ બહુ ગમતું નહિ. વળી દર વખતે ગુરુમહારાજ નવા નવા દીક્ષિત એવા પ્રૌઢ સાધુઓ આપતા કે જેમની સાથે પ્રકૃતિમેળ થવો અઘરો રહેતો. તેઓ જ્યારે મુંબઈ ખાતે મુલુન્ડમાં બિરાજમાન હતા ત્યારે અમે કોઈ કોઈ વાર એમને વંદન કરવા જતાં. મારાં સાસુ પણ અમારી સાથે આવતાં, કારણ કે એમને પણ પૂજ્ય મહારાજશ્રી પ્રત્યે ખૂબ ભક્તિભાવ હતો. એક વખત અમે વંદન કરવા ગયાં ત્યારે મારાં સાસુ અમેરિકાના પ્રવાસે જવાનાં છે એ વાત નીકળી. એ વખતે એમણે થોડી વાર ધ્યાનમગ્ન થયા પછી મારાં સાસુને કહ્યું, ‘તમે અમેરિકા ભલે જાય, પણ છ અઠવાડિયાંમાંથી એક દિવસ પણ વધુ ન રોકાતાં. એમણે આપેલી તારીખ પ્રમાણે મારાં સાસુ અમેરિકાથી પાછા આવી ગયાં. વધુ રોકાય તો ત્યાં એમને કોઈ અશુભ યોગ નડે એમ હતો એમ એમણે પાછળથી સૂચન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ કોઈ વખત એકલા વિચરતા અને ઘણુંખરું પરાંઓમાં રહેતાં. ધ્યાન માટે એકલતા અને એકાંત એમને વધુ પ્રિય અને અનુકૂળ રહેતા. મુંબઈ બાજુ પધારવા માટે મેં તેમને વિનંતી કરેલી, પરંતુ એમણે કહેલું કે ધ્યાનમાં અને જાપ માટે પરાંઓમાં જેવું એકાંત મળે છે તેવું મુંબઈ બાજુ મળતું નથી. માટે મુંબઈ બાજુ આવવાનો ભાવ ખાસ થતો નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દાદરમાં જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં હતા. અમે એક વખત એમને વંદન કરવા ગયાં ત્યારે ચોપાટીનું અમારું નાનું ઘર બદલીને વાલકેશ્વરમાં મોટું ઘર લેવાની વાટાઘાટ ચાલતી હતી એની વાત કરી, પણ એ માટે જરૂરી એટલાં નાણાંની અમારી પાસે સગવડ થાય એમ નથી એમ જણાવ્યું. એમણે કહ્યું, “રમણભાઈ, હું કહું છું કે તમારે એ ઘર લઈ લેવાનું છે. રોજ ભક્તામર સ્તોત્ર બોલજો. એક વર્ષમાં તમારો નાણાંનો પ્રશ્ન અચૂક ઘણી સારી રીતે પાર પડી જશે.” જાણે એમની વાણી ફળી હોય તેમ એમણે કહેલી સમયમર્યાદામાં આખો પ્રશ્ન સાનંદાશ્ચર્ય ઊકલી ગયો. જાણે તેઓ આશીર્વાદ વરસાવતા રહ્યા હોય એવો અનુભવ થયો. તેમનું ચાતુમાંસ પૂ. શ્રી તખ્તાનંદવિજયજી મહારાજ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy