SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વક્તવ્ય રજૂ કરવા માટે પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજે ખાસ કહ્યું હતું. એ દિવસે એમને ખૂબ ઉલ્લાસ હતો, કે નમસ્કાર સ્વાધ્યાય વિશે તેમણે ઉપાડેલું સંશોધનકાર્ય વર્ષોની જહેમત પછી પૂરું થયું હતું. પૂ. તત્ત્વાનંદવિજયજીના સંશોધનનો તેમ જ આરાધનાનો મહત્ત્વનો એક વિષય તે નવકારમંત્ર હતો. સંસ્કૃત, અર્ધમાગધી અને જૂની ગુજરાતી ભાષામાં એ વિશે લખાયેલા એવા તમામ ઉપલબ્ધ સાહિત્યનો ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. એમનું રાત-દિવસ ચિંતનમનન પણ નવકારમંત્ર વિશે રહેતું. એક સ્થળે ચાતુર્માસમાં દૈનિક વ્યાખ્યાન માટે પણ એમણે નવકારમંત્રનો વિષય રાખ્યો હતો. ચાર મહિના આ એક જ વિષય ઉપર વ્યાખ્યાનો આપવાનું તેમના જેવા વિદ્વાન મુનિ મહારાજથી જ બની શકે, કારણ કે એમણે એ વિષયનું તલસ્પર્શી અવગાહન કર્યું હતું. નવકારમંત્રમાં પ્રથમ પદ અરિહંત ભગવંતનું. અરિહંત ભગવંતના સ્વરૂપ વિશે પણ પૂ. તત્ત્વાનંદવિજયજીએ ઘણો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે દેવાધિદેવ “ભગવાન મહાવીરના જીવનચરિત્ર ઉપરાંત અરિહંત ભગવંતના સ્વરૂપનાં વિવિધ પાસાંઓનો શાસ્ત્રીય દૃષ્ટિથી અને શાસ્ત્રગ્રંથોમાંથી અનેક અવતરણો આપીને પરિચય કરાવ્યો છે. પૂ. મહારાજશ્રીએ નમસ્કાર સ્વાધ્યાયના ત્રણ ગ્રંથો અને દેવાધિદેવ ભગવાન મહાવીરના ગ્રંથમાં એટલું શાસ્ત્રીય વિદ્વત્તાપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનકાર્ય કર્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી એમને ડિલિની પદવી જરૂર આપી શકે. વિદેશોના કેટલાયે વિદ્વાનોએ એમના આ ગ્રંથોની કદર કરી છે. વર્તમાન સમયના જૈન વિદ્વાન સાધુઓમાં પૂ. તત્ત્વાનંદવિજયજીની આપણે જરૂર ગૌરવપૂર્વક ગણના કરી શકીએ. પૂ. તત્ત્વાનંદવિજયજી કચ્છના વતની હતા, પરંતુ તેમના પિતાશ્રી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. એટલે તત્ત્વાનંદવિજયજીનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો. એને લીધે તેઓ મરાઠી ભાષા પણ સારી રીતે જાણતા હતા. એમણે આરંભમાં કેટલાય ગ્રંથો મરાઠી ભાષામાં વાંચ્યા હતા. પૂ. તત્ત્વાનંદવિજયજીનો પ્રત્યક્ષ પરિચય મને ઈ. સ. ૧૯૭૪માં થયો. ત્યારે તેઓ મુંબઈમાં ચોપાટીના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. અમારા મકાનમાં પહેલે માળે આ ઉપાશ્રય હતો. એટલે પૂ. મહારાજ પાસે રોજ સવારસાંજ જવાનું થતું તથા વ્યાખ્યાન પણ સાંભળવા મળતું. જૈન વિષયોમાં મારી કેટલીયે શંકાઓનું સમાધાન એમની પાસે થતું અને સરસ માર્ગદર્શન મળતું. મહારાજશ્રી અમારે ઘરે ઘણી વાર વહોરવા પધારતા. તેઓ દૂધ વહોરતા. એક વખત એમની સાથે વાત નીકળી ત્યારે જાણવા મળ્યું કે એમને પિત્તની તકલીફ છે એટલે દૂધ ૬૨ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy