SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નમો સંઘા, નમો તીથ્થમ્સ.’ પૂજ્ય મહારાજસાહેબ સાથે તે દિવસે અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, કેવળી ભગવંત, ચૌદ પૂર્વધર સાધુઓ વગેરે વિશે ઘણી વાતો નીકળી. તેઓ ખૂબ ઉત્સાહમાં ને ઉલ્લાસમાં હતા. તેમણે કહ્યું કે પોતે અંદરથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને અંદરનો પ્રકાશ જાણે વધતો જતો હોય તેવું અનુભવાય છે. તે દિવસે તેમની તબિયત એટલી સારી હતી કે તેઓ આટલા જલદી કાળધર્મ પામશે એમ માની ન શકાય. તેમની ઉંમર પણ એવી મોટી નહોતી. તેમને હજુ સાઠ વર્ષ પણ પૂરાં થયાં નહોતાં. પરંતુ તેઓ યોગસમાધિ લઈ જીવન પૂરું કરશે એવો અણસાર મને આવતો હતો. પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજ કચ્છના સાંહેરા ગામના વતની હતા. એમના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ સોનાબાઈ હતું. એમનો જન્મ કારંજામાં થયો હતો અને એમનું નામ તેજપાર રાખવામાં આવ્યું હતું. તેમણે કચ્છ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં શાળા-કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કૉલેજમાં ઇન્ટર સુધીના અભ્યાસ પછી તેમણે બે વર્ષ નોકરી કરી હતી. દરમિયાન તેઓ પૂ. શ્રી લક્ષ્મણસૂરિજીના સંપર્કમાં આવ્યા અને એમને દીક્ષા લેવાની ભાવના થઈ. પચીસ વર્ષની વયે એમણે દીક્ષા લીધી અને પૂ. લક્ષ્મણસૂરિના શિષ્ય પૂ. કીર્તિચંદ્રસૂરિના શિષ્ય થયા. એમનું નામ મુનિ તત્ત્વાનંદવિજ્યજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી એમણે પૂ. લક્ષ્મણસૂરિ પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓનો તથા શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એક વખત પૂ. લક્ષ્મણસૂરિના શિષ્યોમાંથી કોણ કેટલી ભાષામાં વ્યાખ્યાન આપી શકે એ વિશે સ્પર્ધા યોજવામાં આવી હતી. તે વખતે ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, કચ્છી, સિંધી, સંસ્કૃત અને પ્રાકૃત એમ આઠ ભાષામાં વ્યાખ્યાન આપવાની શક્તિની પૂ. તત્ત્વાનંદવિજયજીએ પ્રતીતિ કરાવી સર્વમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. સ્વ. પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું જ્યારે નમસ્કાર સ્વાધ્યાય' નામનો ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રગટ થયો ત્યારે. નવકારમંત્ર વિશે પ્રાકૃત ભાષાનાં લખાણનાં સંશોધન-સંપાદનરૂપે એ ગ્રંથ થયો ત્યારે એના સંપાદક પૂ. શ્રી તત્ત્વાનંદવિજ્યજીની વિદ્વત્તાનો પરિચય થયો. ત્યાર પછી ‘નમસ્કાર સ્વાધ્યાય'નો બીજો ભાગ નવકારમંત્ર વિશેનાં પૂર્વાચાર્યોના સંસ્કૃત લખાણોનાં સંશોધન-સંપાદનરૂપે પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘નમસ્કાર સ્વાધ્યાય’નો ત્રીજો ભાગ નવકારમંત્ર વિશેનાં જૂની ગુજરાતી ભાષાનાં લખાણો વિશેના સંશોધનસંપાદન તરીકે પ્રગટ થયો હતો. પ. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની નિશ્રામાં મુંબઈમાં સાન્તાક્રુઝમાં એ ગ્રંથના પ્રકાશનનો સમારોહ યોજાયો હતો. તે પ્રસંગે મને પ્રાસંગિક પૂ. શ્રી તત્ત્વાનંદવિજ્યજી મહારાજ ૬ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy