SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ પરમ પૂજ્ય મુનિ શ્રી તત્ત્વાનંદવિજ્યજી મહારાજસાહેબ રવિવાર, તા. ૩૧મી મે, ૧૯૮૧ના રોજ સવારે મુંબઈમાં દાદરના જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા. છેલ્લા લગભગ એક મહિનાથી તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. તેમને અવારનવાર તાવ આવતો હતો. એને લીધે તેમનાથી ખોરાક લેવાતો નહોતો. છેલ્લે તેમનો તાવ અચાનક એકદમ વધી ગયો. દાક્તરી નિદાન થાય તે પહેલાં અને તેમને હૉસ્પિટલ લઈ જવાય તે પહેલાં એમણે દેહ છોડ્યો. સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યા. છેલ્લા મહિનામાં હું તેમને વંદન કરવા માટે બે વાર ગયો હતો. લગભગ મહિના પહેલાં પહેલી વાર ગયો હતો ત્યારે એક કલાક તેમની સાથે વાતચીત કરી હતી. પોતાને તાવ આવે છે તેનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. તેમના ચહેરા ઉપર જોઈએ તેટલી પ્રસન્નતા જણાતી નહોતી. તેઓ કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પહેલાં બીજી વાર ગયો ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમણે કહ્યું, ‘તમે આજે આવ્યા તે સારું કર્યું. ગઈ કાલે આવ્યા હોત તો હું બેસી શકત નહિ. ગઈ કાલ સુધી મને તાવ હતો. આજે સવારથી તાવ નથી. ખોરાક લેવાયો છે અને પ્રસન્નતા અનુભવાય છે.’ તે દિવસે તેમની સાથે લગભગ બે કલાક જ્ઞાનગોષ્ઠિ ચાલી. તીર્થંકર પરમાત્માના મહિમા વિશે સમજાવતાં તેમણે કહ્યું કે તીર્થંકરો જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેશના આપતાં પહેલાં ચતુર્વિધ સંઘને વંદન કરે, કા૨ણ કે સંઘ એ તીર્થરૂપ છે. તેઓ ‘નમો સંઘસ, નમો તીથ્રસ્સ' એમ કહ્યા પછી દેશના શરૂ કરે છે. એવી જ રીતે તીર્થંકરો નિર્વાણ પામે ત્યારે એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે ૬૦ * ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy