SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ હતાઃ (૧) ઋદ્ધિપાત્ર અને (૨) સામાન્ય રાજા, મંત્રી, મોટા શ્રેષ્ઠીઓએ વાજતેગાજતે ઠાઠમાઠ સાથે ઉપાશ્રયમાં સામાયિક કરવા જવું જોઈએ, કે જેથી આવા મોટા મોટા માણસો પણ સામાયિક કરવા જાય છે એનો સામાન્ય લોકો ઉપર ઘણો પ્રભાવ પડે. સામાન્ય ગૃહસ્થો ઉપાશ્રયમાં અથવા ઘરમાં સામાયિક કરે તેને “સામાન્ય’ સામાયિક કહેવામાં આવતું. વળી ત્યારે એવી માન્યતા પણ પ્રવર્તતી હતી કે દેવાદાર માણસોએ તો ઘરે જ સામાયિક કરવું. તેઓએ ઉપાશ્રયમાં સામાયિક કરવા ન આવવું, કારણ કે લેણદાર ત્યાં સામાયિક કરવા આવ્યો હોય અથવા ઉઘરાણી કરવા આવ્યો હોય તો પોતાના, લેણદારના અને બીજા સામાયિક કરનારાઓના મનના ભાવ બગડે અથવા તેમાં ખલેલ પડે. સામાયિકના ‘દ્રવ્ય સામાયિક અથવા વ્યવહાર સામાયિક' અને “ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. એમાં ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક દેખીતી રીતે ચડિયાતો પ્રકાર છે. દ્રવ્ય સામાયિકનો આદર્શ ભાવ સામાયિક સુધી પહોંચવાનો છે. ગૃહસ્થો એક આસન ઉપર બેસી, ઉચિત વેશ સાથે, મર્યાદિત ઉપકરણો ચરવાળો, નવકારવાળી, જ્ઞાનનાં પુસ્તકો વગેરે) સાથે બે ઘડીનું વિધિપૂર્વક સામાયિક કરે તેને દ્રવ્ય સામાયિક કહે છે. તેમાં સમતાભાવની સાધના કરવાની હોય છે. આત્માનું સ્વ-ભાવમાં રમણ તે ભાવ સામાયિક અથવા “નિશ્ચય સામાયિક'. એટલા માટે જ “ભગવતીસૂત્રમાં કહ્યું अप्पा सामाइयं, अप्पा सामाइयस्स अत्थो । (ભગવતીસૂત્ર', શ. ૧, ઉ. ૯) આિત્મા સામાયિક છે, આત્મા જ સામાયિકનો અર્થ છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે: ભગવતી અંગે ભાખીઓ, સામાયિક અર્થ સામાયિક પણ આતમા ધો સૂધો અર્થ. આત્મતત્ત્વ વિચારીએ.' શ્રી કુંદકુંદાચાર્યે નિયમસારમાં આ પ્રકારના નિશ્ચય સામાયિકને “સ્થાયી સામાયિક તરીકે ઓળખાવ્યું છે. જુઓ : जो समो सव्वभूएस तसेसु थावरेसु य । ___ तस्स सामाइयं ठाइ इय केवलि भासियं ॥ १२६ ॥ ત્રિસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમતાભાવ રાખે તેનું સામાયિક સ્થાયી છે એમ કેવલી ભગવંતોએ કહ્યું છે. આ પ્રકારની ગાથા થોડા શબ્દફેર સાથે અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ સામાયિક ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy