SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સહાયરૂપ બને છે. તિર્યંચગતિના ઔદારિક શરીરમાં આ પ્રકારની શક્તિ હોતી નથી. દેવતા અને નારકીને ઔદારિક શરીર હોતાં નથી. તદુપરાંત આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સામાન્ય સંજ્ઞાઓ બધી ગતિના જીવોને હોય છે અને તે કર્મ બંધાવે છે. દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે કે લાંબા ભૂતકાળ વિશે અથવા લાંબા ભવિષ્યકાળ વિશે સ્મૃતિ, કલ્પના, તર્ક વગેરે દ્વારા વિચારવાની શક્તિ દેવતા, નારકી અને મનુષ્યને હોય છે. તિર્યંચગતિના અસંશી જીવોને એ સંજ્ઞા હોતી નથી. પરંતુ દેવોને પુણ્ય ભોગવવાનું હોય છે. દેવો તીર્થંકર પરમાત્માનું સમોવસરણ રચી શકે, જિનેશ્વર ભગવાનની ભક્તિ કરી શકે, પણ દીર્ઘકાલિકી સંજ્ઞાનો ઉપયોગ કરીને પોતાનાં ભૂતકાળનાં ભારે કર્મોનો ક્ષય ન કરી શકે. નારકીના જીવોને સતત દુ:ખ ભોગવવાનું હોય છે. સુખદુઃખ શું છે તે તેઓ સમજી શકે છે, વિચારી શકે છે, વચનયોગથી તે વ્યક્ત પણ કરી શકે છે, પરંતુ તેમની પાસે કર્મક્ષય માટે જરૂરી એવો ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ નથી. મનુષ્ય પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. તે લાંબા ભૂતકાળનો, પૂર્વના ભવોનો પણ વિચાર કરીને, કરેલી ભૂલો માટે પશ્ચાત્તાપ કરી શકે છે, પ્રાયશ્ચિત્ત લઈ શકે છે. તેવા દોષો ભવિષ્યમાં ન થાય તે માટે સંકલ્પ, પ્રતિજ્ઞા, પચ્ચખ્ખાણ કરી તે પ્રમાણે વર્તી શકે છે. ત્યાગ સંયમ ધારણ કરી શકે છે. મનુષ્ય સ્વેચ્છાએ ભૌતિક સુખ છોડી દઈ શકે છે અને સ્વેચ્છાએ કષ્ટ, દુઃખ ભોગવી શકે છે, તપશ્ચર્યા કરી શકે છે. સંવ૨ અને નિર્જરા માટે મનુષ્યગતિમાં જ પૂરો અવકાશ છે. એટલે દીર્ઘકાલિકી સંજ્ઞા અને દૃષ્ટિવાદોપદેશિકી (દ્વાદશીના જ્ઞાનની) સંજ્ઞા દ્વારા માત્ર મનુષ્યગતિમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. આવો દુર્લભ મનુષ્યજન્મ પરિભ્રમણશીલ જીવને મળે કઈ રીતે ? આગમગ્રંથોમાં મનુષ્યગતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે દર્શાવતાં કહ્યું છે : चउहि ठाणहिं जीवा मणुसत्ताए कम्मं पगरेति तं जहापगइभद्रभयाए, पविणीयया साक्कोसा अमच्छरियाए I (‘સ્થાનાંગસૂત્ર') [ચા૨ કા૨ણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે : (૧) સરળ પ્રકૃતિથી, (૨) વિનીત પ્રકૃતિથી, (૩) દયાભાવથી અને (૪) મત્સરના અભાવથી.] कम्माणं तु पहाणाए, आणुपुप्वीं कयाइउ । जीवा सोहिमणप्पत्ता आययंति मणुस्सयं ॥ (‘ઉત્તરાધ્યયનસૂત્ર') અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘ કાળ Jain Education International ૬ * જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy