SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ दुर्लभं त्रयमेवेतद् देवानुग्रहहेतुकम् 1 मनुष्यत्वं मुमुक्षुत्व महापुरुष संश्रयः " સંગતિ { મનુષ્યપણું, મુમુક્ષત્વ (એટલે મોક્ષ મેળવવાની ભાવના) અને મહાપુરુષોની એ ત્રણ દુર્લભ છે અને દેવોની કૃપા હોય, પુણ્યોદય હોય તો જ મળી શકે એમ છે.] - મનુષ્યજન્મની દુર્લભતા દર્શાવતાં વળી અન્યત્ર કહેવાયું છે : एवं भ्रमतः संसारसागरे दुर्लभं मनुष्यत्वम् । संसारमहत्त्वाधार्मिकत्वदुष्कर्मबाहुल्यैः ॥ [ સંસાર ઘણો મોટો હોવાથી, વળી તેમાં ઘણી અધાર્મિકતા અને દુષ્કર્મોની બહુલતા હોવાથી, સંસારરૂપી સાગરમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણું મેળવવું અત્યંત દુર્લભ છે.] ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसित प्रतिमम् ॥ [ આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત ચંચલ આ મનુષ્યભવ અગાધ સંસારરૂપી સમુદ્રમાં જો સરી પડશે તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. ] આમ, મનુષ્યગતિની દુર્લભતા અને શ્રેષ્ઠતા શાસ્ત્રકારોએ સમજાવી છે. જીવનું પરમ લક્ષ્ય તે સંસા૨પરિભ્રમણમાંથી મુક્તિ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ છે. કેવળજ્ઞાન વગર મોક્ષ નથી. કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે. મનુષ્યગતિ ઉપરાંત બીજી ગતિમાં કેવળજ્ઞાન હોત તો બીજી ગતિના જીવો પણ મનુષ્યગતિ જેવી તુલ્યતા ધરાવી શકે, અને મનુષ્યગતિનું તો પછી બહુ મહત્ત્વ ન રહે. પણ અન્ય ગતિમાં વધુમાં વધુ પ્રથમનાં ત્રણ જ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. માટે જ મનુષ્યગતિને મુક્તિના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. = કેવળજ્ઞાન ફક્ત મનુષ્યગતિમાં જ શા માટે ? કારણ કે ઘાતી કર્મોના ક્ષય વિના કેવળજ્ઞાન થાય નહિ અને ઘાતી કર્મોના ક્ષય માટે મહાન ઔષધિરૂપ સર્વવિરતિ (દ્રવ્યથી અને ભાવથી) માત્ર મનુષ્યોને જ હોય છે. દેવતા અને નાકી અવિરતિ હોય છે. તિર્યંચગતિના જીવોને દેશવિરતિ સંભવી શકે છે, પણ સર્વવિરતિ હોતી નથી. એટલે કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. વળી શરીરના ઔદારિક, તેજસ, કાર્પણ અને આહારક જેવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાં માત્ર મનુષ્યના ઔદારિક શરીરમાં વજઋષભનારાચ સંઘયણ, કુંડલિની શક્તિ, મૂલાધાર વગેરે સૂક્ષ્મ શક્તિચક્રો તથા ઉત્કૃષ્ટ ચિત્તશક્તિ ઇત્યાદિ રહેલાં છે, જે આત્મશક્તિને સ્કુરાયમાન કરી ઘાતી કર્મોનો ક્ષય કરવામાં મનુષ્યજન્મની દુર્લભતા * ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy