SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે ગતિમાં મનુષ્યગતિની શ્રેષ્ઠતા દર્શાવતાં ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : माणसत्तं भवे मूलं लाभो देवगइ भवे । मूलच्छेएण जीवाणं णरगतिरिखत्तणं धुवं ॥ મનુષ્યજન્મ પ્રાપ્ત કરવો એ મૂલ ધનની રક્ષા છે. દેવત્વ પ્રાપ્ત કરવું એ લાભસ્વરૂપ છે અને નરક તથા તિર્યંચ ગતિમાં જન્મ લેવો તે મૂલ ધન ખોઈ નાખવા બરાબર છે. તિર્યંચગતિના જીવો ફરીથી તિર્યચરગતિમાં અનુક્રમે સતત અનેક વાર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ મનુષ્યગતિના જીવો સતત મનુષ્યજન્મ સાત કે આઠ વાર મેળવી શકે છે. આમ ચારેય ગતિના જીવોના પરિભ્રમણનો વિચાર કરીએ તો દેવ અને નરકગતિના અસંખ્યાતા જીવો અને નિગદના જીવો સહિત તિર્યંચગતિના તો અનંતાનંત જીવોમાંથી એ જીવોને મનુષ્યગતિમાં સ્થાન મળવું એ ઘણી દુર્લભ વાત છે. મનુષ્યગતિમાં સ્થાન સંખ્યાતા છે અને આવવા ઈચ્છનાર અનંતા છે. આમ જગ્યા કરતાં ઉમેદવારો અનંતગણા છે એ જો લક્ષમાં આવે તો મનુષ્યગતિના સ્થાનની દુર્લભતા સમજાય. માત્ર વધતી જતી મનુષ્યવસતી પ્રત્યે લક્ષ આપવાથી આ દુર્લભતા નહિ સમજાય. સમગ્ર વિશ્વની તમામ જીવરાશિના સતત ચાલતા પરિભ્રમણનું દશ્ય આંતરચક્ષુ સમક્ષ જેઓ ખડું કરી શકે તેમને આ દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહે નહીં. સમગ્ર વિશ્વની જેટલી માનવવસતી અત્યારે છે અને ભવિષ્યમાં કોઈ પણ કાળે માનો કે પાંચસો-સાતસો અબજ જેટલી કે તેથી વધારે હશે તો પણ તે માત્ર સંખ્યાતા' જ હશે. સમગ્ર વિશ્વની માનવવસતી કોઈ પણ કાળે જેટલી હોય છે એથી વધુ જીવો પાણીના એક બિન્દુમાં હોય છે, કારણ કે એ બિન્દુમાં અસંખ્યાતા જીવો હોય છે. એવી જ રીતે હવામાં, પાણીમાં, તેજમાં, વનસ્પતિમાં રહેલા જીવોનો વિચાર કરીએ તો તેની અપેક્ષાએ મનુષ્યની વસતીની અલ્પતા અને મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે. જૈન ધર્મે તો નિગોદના જીવોની જે વિચારણા કરી છે તે જો સમજાય તો પણ મનુષ્યજન્મની દુર્લભતાની પ્રતીતિ થાય. એટલે, અત્યારે મનુષ્યોની વસતી વધતી રહી છે તોપણ તે તેના સંખ્યાતાજીના માપમાં જ છે. લાખો-કરોડો વર્ષના ભૂતકાળમાં માનવવસતી ક્યારેક ક્યારેક વર્તમાન સમય કરતાં પણ વધુ હતી એમ મનાય છે. વર્તમાન સમયમાં મનુષ્યોની વસતી વધતી જતી હોય તો અન્ય ગતિના જીવો મનુષ્યજન્મ મેળવવાને વધુ પાત્ર બને મનુષ્યજન્મની દુર્લભતા જ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy