SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી ગણી શકાય પણ પછી ગણવાનું ફાવે નહિ અને ચોક્કસ આંકડો મળે નહિ એવી સંખ્યાને અસંખ્યાતા કહેવામાં આવે છે. જે સંખ્યા ગણવાનું ફાવે નહિ અને ગણતાં ક્યારેય પાર આવે નહિ તેવી સંખ્યાને અનંત કહેવામાં આવે છે. મનુષ્યની વસતી અત્યારે દસ આંકડા જેટલી છે. બાર બાર આંકડા સુધીની રકમ ગણવામાં આવે તો તે ૧૦૦ અબજ કે તેથી વધુ થાય. મનુષ્યની એટલી વસતી થાય તોપણ તે સંખ્યાતા કહેવાય. ૧૨ને બદલે ૨૯ આંકડા સુધી મનુષ્યની વસતી કદાચ પહોંચે તોપણ તે સંખ્યાતા કહેવાય. જૈન ધર્મ પ્રમાણે ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી ગતિ–મોક્ષગતિ પામતા નથી ત્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણના પણ નિયમો છે. “દંડક પ્રકરણમાં ચારે ગતિના જીવોની ગતિ અને આગતિ સમજાવી છે અને એક ગતિમાં બીજી ગતિના ક્યા કયા જીવો આવી શકે અને એક ગતિના જીવો બીજી ગતિઓમાં ક્યાં ક્યાં કેટલે સુધી ઉત્પન્ન થઈ શકે તે વિગતે બતાવ્યું છે. એમાંથી મોટી રૂપરેખા પ્રમાણે જોઈએ તો દેવગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને ફરી દેવગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. તેવી જ રીતે દેવગતિનો જીવ દેવગતિમાંથી સીધો નરકગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. દેવગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને તરત નરકગતિમાં ફરીથી ઉત્પન્ન થઈ શકતા નથી. તેમ તેઓ નરકગતિમાંથી સીધા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકતા નથી. નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે; મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે; તિર્યંચગતિના સંશી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ તિર્યંચગતિના જીવો સીધી મોક્ષગતિ પામી શકતા નથી. મનુષ્યગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકે છે, અથવા તિર્યંચગતિમાં ઉત્પન થઈ શકે છે, અથવા દેવગતિ કે નરકગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યજન્મ એ એક જ એવી ગતિ છે કે જ્યાંથી મોક્ષગતિ પ્રાપ્ત થઈ શકે છે. સુખવૈભવ, અવધિજ્ઞાન, દીઘયુષ્ય, વૈદિવશરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ વગેરેની દૃષ્ટિએ દેવગતિ મનુષ્યગતિ કરતાં ચડિયાતી હોવા છતાં મોપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ દ્વારા જ શક્ય હોવાથી દેવો પણ મનુષ્યગતિ માટે ઝંખે છે એમ કહેવાય ૨ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy