SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ના જૈન આચારદર્શન મનુષ્યજન્મની દુર્લભતા કોઈકને કદાચ પ્રશ્ન થાય કે મનુષ્યજન્મ કેવી રીતે દુર્લભ હોઈ શકે ? એ તો દેખીતું જ છે કે દુનિયામાં મનુષ્યોની વસતી દિવસે દિવસે વધતી જાય છે. પચાસેક વર્ષ પહેલાં પૃથ્વી પરની માનવવસતી લગભગ બે અબજની હતી. અત્યારે માનવવસતી લગભગ છ અબજ પહોંચી છે અને એકવીસમી સદીના પૂર્વાર્ધમાં દસ-પંદર અબજ કરતાં પણ વધુ માનવવસતી હશે એવું અનુમાન માનવ-વસ્તીના આંકડાશાસ્ત્રીઓ કરે છે. આમ મનુષ્યોની વસતી દિવસે દિવસે જો વધતી જતી હોય તો માનવજન્મ દુર્લભ છે એમ કેવી રીતે કહી શકાય ? માનવજન્મ વધુ પડતો સુલભ છે એમ જ અત્યારે તો દેખાય છે, કારણ કે આજકાલ તો માણસ થવાને પાત્ર ન હોય એવાં પણ અસંખ્ય માણસો દુનિયામાં જોવા મળે છે. ઉપરઉપરથી જોનારને મનુષ્યજન્મ સુલભ છે એવું કદાચ લાગવાનો સંભવ છે. પરંતુ સમગ્ર વિશ્વની જીવરાશિનો જો વિચાર કરવામાં આવે તો મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે. વળી એ સમજવા માટે પુનર્જન્મનાજન્મજન્માત્તર (Rebirth)ના સિદ્ધાન્તમાં શ્રદ્ધા જોઈશે. જૈન ધર્મ પ્રમાણે જીવોની ચાર ગતિ છે: (૧) મનુષ્ય, (૨) તિર્યંચ, ૩) દેવતા () નારકી. આ ચાર પ્રકારની ગતિના જીવો કેટલા પ્રમાણમાં છે તે દર્શાવવા પ્રત્યેક ગતિની બાબતમાં જૈન ધર્મે ગણિતની સંજ્ઞા આપી છે. એ પ્રમાણે મનુષ્યની વસતી સંખ્યાતા છે. દેવતા અને નારકીના જીવો “અસંખ્યાતા છે અને તિર્યંચગતિના જીવો અનંત છે. સંખ્યાતા એટલે જેની સંખ્યા ગણી શકાય છે. જૈન ધર્મના ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા (એકમ-Digit) સુધીની સંખ્યા તે સંખ્યાતા કહેવાય છે. ૩૦ કે તેથી વધુ આંકડાની રકમ એ અસંખ્યાતા કહેવાય છે. થોડે મનુષ્યજન્મની દુર્લભતા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy