SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ તમામ આચરણમાં આવશ્યક ક્રિયા એ પ્રાણ સ્વરૂપ છે. સામયિક આદિ ક્રિયાએ બધી ક્રિયામાં આન્તર્નિહિત છે. શ્રાવકોમાં તેનું જ્ઞાન આજે લુપ્ત થતું જાય છે. તેમજ જૈનધર્મમાં અતિ પ્રચલિત એવી ક્રિયાઓ વિશે અન્ય ધમનુયાયીઓ મહદંશે જાણતા નથી. તેથી આવશ્યકની ક્રિયાનાં રહસ્યોને વર્ણવતા લેખોનો સંપુટ દ્વિતીય વિભાગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જૈન ધર્મનો મહત્ત્વનો સિદ્ધાન્ત અહિંસા છે. અહિંસાને જૈનધર્મનો પ્રાણ માનવામાં આવ્યો છે. આગમોમાં અહિંસાને બધાં જ વ્રતોમાં સહુથી મોટું વ્રત માનવામાં આવ્યું છે. બાકીનાં બધાં વ્રતો અહિંસાના આચરણ વગર સેનાપતિ વગરની સેના જેવા બની જાય છે. માટે અહિંસાનો સર્વાધિક મહિમા જૈનધર્મમાં જોવા મળે છે એટલું જ નહીં પણ અહિંસાને આચરણમાં લાવવા માટેના ઉત્તમ માર્ગો પણ વર્ણવવામાં આવ્યા છે. તેમાંનો એક માર્ગ એટલે ઇરિયાવહી. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની સુરક્ષા માટે ચિંચિત છે ત્યારે તેનો સહુથી શ્રેષ્ઠ ઉકેલ ઇરિયાવહી સૂત્રમાં જોવા મળે છે. રમણભાઈએ આ લેખમાં ઇરિયાવહી સૂત્રનાં રહસ્યોને ખુલ્લા કર્યા છે. આ લેખ એક લઘુગ્રંથ જેટલો અને શાસ્ત્રગ્રંથ જેવો વિશિષ્ટ કોટિનો લખાયો છે. આ ઉપરાંત અન્ય વ્રતો બ્રહ્મચર્ય, અદત્તાદાન, અનર્થદંડ વિરમણ જેવા તથા તપ, પ્રતિસેવના, ઉપસર્ગ અને પરીષહ, પ્રભાવના, બોધિદુર્લભભાવના, સ્વાધ્યાય આદિ શાસ્ત્રીય તત્ત્વોની સુંદર રજૂઆત કરતા લેખો જનવ્રત-આચાર નામના વિભાગ-૩માં સમાવવામાં આવ્યા છે. ચતુર્થ વિભાગ – પર્યુષણ પર્વ સંબંધી લેખોનો છે. રમણભાઈએ સાડા ત્રણ દાયકા સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સંચાલન કર્યું અને તે દરમ્યાન પર્યુષણ પર્વની સાચી સમજ કેળવાય તે માટે પર્યુષણ અંગેના શાસ્ત્રીય ઉલ્લેખોને આધારે તૈયાર કરેલ લેખોનો સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. મનુષ્ય ઉત્સવપ્રિય છે. ઉત્સવો જીવનમાં ઉત્સાહ અને આનંદ આપે છે. આવા ઉત્સવોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક લૌકિક અને બીજો લોકોત્તર. જેમાં આત્મિક આનંદ પ્રાપ્ત થાય તે લોકોત્તર પર્વો. જૈનધર્મમાં લોકોત્તર પર્વમાં પર્યુષણ પર્વ સર્વશ્રેષ્ઠ પર્વ મનાયું છે. તેની ઉજવણી કરવામાં શ્રાવકોને સમયે સમયે માર્ગદર્શન આપે તેવા આ લેખો બધા જ શ્રાવકોએ અને આત્મસાધકોએ અવશ્ય વાંચવા લાયક છે. વિભાગ પાંચમાં જૈન જ્યોતિર્ધરમાં ઉપાધ્યાય યશોવિજયજીના જીવનનો વિસ્તૃત લેખ સમાવવામાં આવ્યો છે. આ સમગ્ર લેખસંગ્રહ મુખ્યત્વે આચારવિષયક છે. ઉચ્ચ આચાર જીવનને ઉન્નત બનાવે છે અને તેવા આચાર માટે સાચી સમજ કેળવાય તેવા ઉચ્ચ આશયથી ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy