SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ લખાયેલા લેખોનો સંગ્રહ જૈનધર્મના જિજ્ઞાસુઓને સદાય પ્રેરણાદાયી બનશે. શ્રી રમણભાઈ ગ્રંથ સૌરભના પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કાર્ય કરવા માટે મુરબ્બી શ્રી ધનવંતભાઈએ ખૂબ જ આગ્રહ કર્યો હતો. તેમના પ્રેમપૂર્વકના આગ્રહને કારણે હું આ કાર્યનો અસ્વીકાર કરવા માટે અસમર્થ હતો. વળી શ્રી રમણભાઈ તથા તારાબહેન સાથેના આત્મીય સંબંધોને કારણે પણ હું આ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થયો. મુ. શ્રી રમણભાઈએ જૈનધર્મ-દર્શન ઉપર સવિશેષ ચિંતન કરી અનેક ગ્રંથો અને લેખો લખ્યા છે. તે તમામ લેખોમાં તેમનું ઊંડું ચિંતન જોવા મળે છે. આ સાહિત્યનું સંપાદન કરતાં તેનો સ્વાધ્યાય કરવાનો સુઅવસર મળ્યો તે માટે શ્રી ધનવંતભાઈનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. જૈનધર્મ વિષયક લેખોના પ્રસ્તુત ભાગના સંપાદનમાં પ્રો. હસુભાઈ યાજ્ઞિકે સ્નેહપૂર્વક ઉદારતા દાખવી મારી વાતનો સ્વીકાર કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું તે બદલ તેમનો પણ આભારી છું. આ ગ્રંથનું સંપાદન કરતાં કરતાં અનેક વખત શ્રી તારાબહેન સાથે પણ ચર્ચા થતી હતી. તેમણે ગ્રંથના સંપાદન માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી. રમણભાઈના સાહિત્યને સંપૂર્ણ ન્યાય મળે તે માટે તેમણે સૂચનો આદિ આપ્યાં તે માટે હું તેમનો ત્રઋણી છું. આ ગ્રંથનું પ્રકાશન કાર્ય કરવા માટે શ્રી પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ રસ લીધો અને તેમની સાથે પણ ખૂબ જ આત્મીયતાભર્યો સંવાદ થતો રહ્યો તે માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ડો. જિતેન્દ્ર બી. શાહ ३५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy