SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભળે છે ત્યારે તે જ ક્રિયા આત્મકલ્યાણ કરનારી બને છે. આથી શ્રદ્ધાપૂર્વકની સમજથી થતી ક્રિયાઓ જ સાધકનું સાચું સંબલ છે. સાચી સમજ કેળવવા શાસ્ત્ર અને સત્સંગની આવશ્યકતા રહે છે. ત્યાર બાદ તપાદિનો સાચો અર્થ સમજવો જરૂરી બને છે. રમણભાઈએ જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરી અનેક તત્ત્વોનાં મૂળ સુધી પહોંચી જુદા જુદા વિષયો ઉપર લેખો લખ્યા છે. આ લેખો લખવા માટેનું મૂળ નિમિત્ત તો પ્રબુદ્ધજીવનમાં નવું નવું લખવાનું જ હોવા છતાં તેમાં આવેલી વિગતો અને રજૂ થયેલ ચિંતન દ્વારા સ્પષ્ટ થાય છે કે તેઓ આત્મિક રીતે પણ ઓતપ્રોત થઈ જતા હશે, તેથી જ અવનવા વિષયો ઉપર અનેક વિચારણા પ્રગટ કરી શકતા હતા. તેમણે આચાર અને વિચાર વિષયક અનેક લેખો લખ્યા છે. તેમના લેખોની સૂચી ગ્રંથને અંતે આપવામાં આવી છે. તેમના સમગ્ર લેખને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. વિચાર સાથે ચિંતન સાથે સંબંધ ધરાવતા લેખોને જૈનધર્મદર્શનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે આચાર વિષયક લેખોને જૈનઆચારદર્શન નામક ભાગમાં સમાવવામાં આવ્યા છે. પ્રથમ ભાગ જૈનધર્મદર્શન ગ્રંથનું સંપાદન પ્રો. હસુભાઈ યાજ્ઞિકે કર્યું છે. તેમાં તેઓશ્રીએ નમસ્કાર મહામંત્ર, પંચપરમેષ્ઠી અને જૈન તત્ત્વચિંતન સંબંધી લેખો સમાવ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં આચાર વિષયક લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૈનદર્શનની આચારમીમાંસાનો પ્રારંભ મનુષ્યભવની દુર્લભતાથી થાય છે. મનુષ્યભવની દુર્લભતા જાણ્યા વગર માનવભવ એળે જાય. આથી મનુષ્યભવની દુર્લભતાનો લેખ સર્વપ્રથમ મૂકવામાં આવ્યો છે. માનવભવની દુર્લભતા સમજાયા પછી સંયમ દુર્લભ છે. પરંતુ સંયમ વગર જીવન સાર્થક નથી. બધા જ ધર્મોએ સંયમનો મહિમા વર્ણવ્યો છે. સંયમ વગરનું જીવન લગામ વગરના ઘોડા જેવું છે. આવું જીવન દુઃખદાયી જ હોય. માટે સંયમ આવશ્યક છે અને સંયમની આવશ્યકતા સંયમનો મહિમા સમજ્યા વગર સંભવતી નથી માટે દ્વિતીય લેખ રૂપે સંયમના મહિમાને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રાવકજીવનની ઊંચાઈ એટલે શ્રાવકોની પ્રતિમા. શ્રાવક એટલે સંયમનો આંશિક પ્રારંભ. સંયમના પ્રારંભથી શરૂ થયેલ મોક્ષની યાત્રાના દ્વિતીય પડાવની અંતિમ સીમા એટલે જ પ્રતિમાઓ. આજે તો શ્રાવકપણું માત્ર પૂજા અને પ્રતિક્રમણમાં ઇતિશ્રી થઈ જતું જોવા મળે છે. આ ક્રિયાઓ પણ આવશ્યક છે પણ તે જ પૂર્ણ છે તેમ નથી. તેનાથી પણ ઘણું ઊંડું ચિંતન જૈનધર્મમાં કરવામાં આવ્યું છે. તે તમામનું જ્ઞાન શ્રાવકને હોય તો શ્રાવક વિલુપ્ત થયેલ માર્ગને પુનર્જીવિત કરી આત્મકલ્યાણ સાધી શકે તે માટે આચારદર્શનના વિભાગના તૃતીય લેખ તરીકે અગિયાર ઉપાસક પ્રતિમાઓને સ્થાન આપ્યું છે. Jain Education International ३३ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy