SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી માન્યતા કે તીર્થકરોનું પરમૌદારિક શરીર ધાતુરહિત હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું છે. ૨. અધ્યાત્મસાર: સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૧૩૦૩ શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યકત્વ, મિથ્યાત્વત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. ૩. અધ્યાત્મોપનિષદ સંસ્કૃતમાં અનુષુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર છે: (૧) શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગાધિકાર (૩) ક્રિયાધિકાર અને છ સામ્યાધિકાર. એમાં કતએ તે તે વિષયોની છણાવટ કરી છે. ૪. અનેકાન્ત વ્યવસ્થા: કર્તાએ ૩૩૫૭ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી ૫ દેવધર્મ પરીક્ષાઃ ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે તેનું એમાં આધાર સાથે સમર્થન કરવામાં આવ્યું છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તેવા દેવોને અધર્મી કહે છે, તે વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. ૬. અને તર્ક પરિભાષાઃ કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું તર્કયુક્ત નિરૂપણ કર્યું છે. ૭. ગુરુતત્ત્વવિનિશ્ચયઃ કતએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૮૫ શ્લોક પ્રમાણનો રચ્યો છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં સાત હજાર શ્લોકમાં ચકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે. ૮. કાત્રિશદ્ધત્રિશિક: આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના માર્ગભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સમ્યગદષ્ટિ ઈત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩ર વિભાગ પાડ્યા છે. તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના થઈ છે. તેના ઉપર પોતે જ રચેલી ટીકાની શ્લોક સંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકમાં આ સટીક ગ્રંથ બન્યો છે. ૯. યતિલાસ સમુચ્ચઃ આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ર૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. ૧૦. નરહસ્યઃ આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી * ૩૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy