SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. સ્વાદવાદ રહસ્ય ૧૬. વાદમાલા (અપૂર્ણ), ૧૭. સ્યાદવાદરહસ્ય, ૧૮. માર્ગપરિશુદ્ધિ, ૧૯. વૈરાગ્ય કલ્પલત્તા, ૨૦. યોગબિન્દુ અવચૂરી, ૨૧. યોગદૃષ્ટિ સમુચ્ચય અવસૂરી (અપૂર્ણ), બૃહદ (અપૂર્ણ), ૨૩. તત્ત્વાર્થ વૃત્તિ, ૨૪. વૈરાગ્ય રતિ (અપૂર્ણ), ૨૫. સ્તોત્રત્રિક, ૨૬. ઉત્પાદાસિદ્ધિ પ્રકરણ ટીકા (અપૂર્ણ), ૨૭, ન્યાયાલોક, ૨૮. યોગવિશિકાવૃત્તિ, ૨૯. વિષયતાવાદ, ૩૦. સ્તોત્રાવલી. સ્તોત્રત્રિક ૩૧. અષ્ટ સહસ્ત્રી, ૩૨. કાવ્યપ્રકાશ. ટીકા (અપૂર્ણ). આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરો માનીને સાબરમતી નદીમાં પધરાવવા માટે લોકો લઈ જતા હતા તેવાં પાનાંઓમાંથી તેમનો યોગવિંશિકાવૃત્તિ' ગ્રંથ મળી આવ્યો છે. શ્રી યશોવિજયજીએ પોતાના હસ્તાક્ષરમાં બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ઉ૫૨થી પ્રતીત થાય છે કે પોતાના આટલા બધા ગ્રંથોની રચના કરવાના સમય ઉપરાંત એમણે આ બધી હસ્તપ્રતિઓ તૈયાર કરવામાં પણ કેટલો બધો સમય આપ્યો હશે ! જૈન સાધુઓ રાત્રે તો લખવા-વાંચવાનું કાર્ય કરે નહિ, એટલે શ્રી યશોવિજયજીએ પોતાના તમામ સમયનો કેવો ચીવટભર્યો ઉપયોગ કર્યો હશે તે આ ઉપ૨થી જણાય છે. સાહિત્યસર્જન - મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ નવ્યન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો ૫૨ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તથા વ્રજ અને રાજસ્થાની મિશ્ર ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સરળ કૃતિઓ છે, અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી ગૂઢ રહસ્યવાળી કઠિન કૃતિઓ પણ છે. એમણે રચેલી સંસ્કૃત તથા પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ, પ્રકાશિત, કૃતિઓ નીચે પ્રમાણે છે : ૧. અધ્યાત્મ મત પરીક્ષા : આ ગ્રંથનું બીજું નામ ‘અધ્યત્ન મત ખંડન’ છે. કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે. તેના ઉપર પોતે જ ચાર હજાર શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગમ્બર માન્યતાનું ખંડન કરીને કેવલીને કવલાહાર અવશ્ય હોઈ શકે એમ તર્કયુક્ત દલીલો સાથે સિદ્ધ કર્યું છે. દિગમ્બરોની ૩૦૨ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy