SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ તપાસ કરાવી હતી, પરંતુ એ ગ્રંથ એમને મળ્યો ન હતો. કેટલાક સમય પછી પાટણમાંથી એક હસ્તપ્રતની ભાળ મળી. સિંહવાદીગણિએ નવચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણ લખેલી ટીકાની એ હસ્તપ્રત હતી. હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં હતી. થોડા દિવસ માટે જ એ મળી હતી. શ્રી યશોવિજયજીએ વિચાર્યું કે મૂળ ગ્રંથ તો મળતો નથી. પણ મૂળ ગ્રંથની ઝાંખી કરાવે એવી આ ટીકા પણ જો નષ્ટ થઈ જશે તે બધું જ જશે. એના ઉપરથી નવી હસ્તપ્રત તૈયાર કરી લેવી જોઈએ. પણ એકલે હાથે ઓછા દિવસમાં એ કેમ થાય? એમણે ગુરુમહારાજને વાત કરી. સમુદાયના સાધુઓમાં વાત થઈ. કામની વહેંચણી થઈ અને શ્રી નવિજ્યજી અને શ્રી યશોવિજયજી ઉપરાંત શ્રી જયસોમ પંડિત, શ્રી લાભવિય મહારાજ, શ્રી કીર્તિરત્નગરિ, શ્રી તત્ત્વવિજયજી મહારાજ અને શ્રી રવિવિજય પંડિત – એમ સાત મુનિ ભગવંતોએ મળીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ લખાણની નકલ તૈયાર કરી લીધી. વ્યવસાયી લહિયાઓએ નહિ પણ એક સાથે સાત મુનિ ભગવંતોના સંયુક્ત હસ્તે એક જ હસ્તપ્રત તૈયાર થઈ હોય એવું આ વિરલ ઉદ્યહરણ એમની ચુતભક્તિની સુંદર પ્રતીતિ કરાવે છે. એમાં ૪૮૦૦ શ્લોકનું લખાણ શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં છે. આ હસ્તપ્રતિ ત્યાર પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાં આવેલી અને ત્યાંથી હવે તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં છે. મૂળ નયચક્ર ગ્રંથની બધી હસ્તપ્રતો નષ્ટ થઈ ગયેલી પરંતુ સદ્દભાગ્યે તિબેટમાં તિબેટ લિપિમાં એ ગ્રંથ સચવાયેલો છે. એના ઉપરથી પૂ. બૂવિજયજી મહારાજે એ સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે, જે પ્રકાશિત થયેલો છે.) શ્રી યશોવિજયજી મહારાજે પોતે જે જે રચના કરી તેમાંથી તેમણે સ્વહસ્તે લખેલી ત્રીસથી વધુ હસ્તપ્રતો આપણને જુદા જુદા ભંડારોમાંથી મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. અત્યાર સુધીમાં મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે: ૧. આર્ષભીય મહાકાવ્ય (અપૂર્ણ), ૨. તિન્વયોક્તિ અપૂર્ણ), ૩. નિશામુક્તિ પ્રકરણ, ૪. શ્રી વિજયપ્રભસૂરિ શામક વિજ્ઞાતિ પત્ર, ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ચિકા અપૂર્ણ) ૬. જબૂસ્વામી રાસ, ૭. આરાધક વિરાધક, ચતુર્ભગી – સ્વોપજ્ઞ ટીકા સહ, ૮, અધ્યાત્મસાર, ૯. પ્રમેયમાલા (અપૂર્ણ) ૧૦. દ્રવ્યગુણ પર્યાય રાસ - બાલાવબોધ સહિત, ૧૧. ધર્મપરીક્ષા સ્વીપજ્ઞ થકામાં ઉમેરણ, ૧૨. આત્મખ્યાતિ, ૧૩. ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનો અંતિમ ભાગ, ૧૪. નય રહસ્ય, ૧૫. ભાષા રહસ્ય, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૪ ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy