SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય. જો તેઓ બાલદીક્ષિત હોય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તો સં. ૧૬૪૫ની આસપાસ તેમને જન્મ થયો હોવો જોઈએ એમ માની શકાય. તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. એટલે સં. ૧૬૪પથી ૧૭૪૪ સુધીનું, લગભગ સો વર્ષનું આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માનવું રહ્યું. બીજી બાજુ “સુજસવેલી ભાસ'માં લખ્યું છે: સંવત સોલ અાસિચેંજી, રહી કુણગિરિચોમાસા: શ્રી નયવિજય પંડિતવરુજી, આવ્યા કહોડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે : વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સોલ અડ્યાસિચેંજ, કરતાં યોગ અભ્યાસ. આમ સુજસવેલી ભાસ’ પ્રમાણે સં. ૧૬૮૮માં શ્રી નયવિજયજી કન્હોતુ પધારે છે. અને એ જ સાલમાં પાટણમાં શ્રી યશોવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે લઘુ દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષમાં સં. ૧૬૮૮માં અપાઈ છે. વળી દીક્ષા સમયે એમની ઉંમર નાની હતી એમ ‘લઘુતા પણ બુદ્ધે આગળોજી, નામે કુંવર જસવંતએ પંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠ-નવ વર્ષની હોવી જોઈએ; જો તે પ્રમાણે હોય તો તેમનો જન્મ સં. ૧૬ ૭૯૮૦માં થયો હોવો જોઈએ. તેમનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. જો તે પ્રમાણે ગણતરી કરીએ તો તેમનું આયુષ્ય ૬૪-૬૫ વર્ષનું હોવું જોઈએ એમ માનવું પડે. આમ ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ. અને “સુજસવેલી ભાસ’ પ્રમાણે સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં તો નિશ્ચિત જ છે કે ગુરુ શ્રી નવિજયજીના હાથે તૈયાર થયેલી મૂળ વસ્તુ જ આપણને મળે છે. “સુજસવેલી ભાસની હસ્તપ્રતિ તે કર્તાના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી લખાયેલી છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે દિક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી “સુજસવેલી ભાસકાર શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. અને હસ્તપ્રતિ તો ત્યાર પછીની મળે છે, જ્યારે શ્રી નયવિજય ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય. વળી શ્રી યશોવિજયજીએ જે વિપુલ સાહિત્યની રચના કરી છે તથા જે શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે જોતાં તેટલું કાર્ય કરવા માટે ૬૩-૬૪ વર્ષનું કદાચ ઓછું પડે. વળી તેમણે અનશન ૨૮૨ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy