SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ સુજસવેલી ભાસા મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે કેટલાંક વર્ષ પહેલાં ઘણી વધુ માહિતી મળી આવી હતી. લગભગ વિ.સં. ૧૯૭૫ની આસપાસ પાટણમાં પ.પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તપ્રતોનું સંશોધન – વર્ગીકરણ કરતાં કરતાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જીવન વિશે એમના સમકાલીન કવિ મુનિશ્રી કાંતિવિજયજીએ રચેલી “સુજસવેલી ભાસ’ નામની એક કાવ્યકૃતિની ભાળ લાગી હતી. એમાં આપેલી માહિતીથી શ્રી યશોવિજયજીના જીવનચરિત્ર ઉપર, તથા એમના જન્મ અને કાળધર્મના સમય ઉપર કંઈક વધુ પ્રકાશ પડ્યો છે. જન્મસમય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણો મળે છે. એથી એમના જન્મસમય વિશે સંશોધકોમાં હજુ છેવટનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેરુ પર્વતનો ચિત્રપટ, અને (૨) શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિશ્રી કાંતિવિજયજીકૃત “સુજસવેવી ભાસ' નામની ચના. આ બંનેમાં અલબત્ત, એમના જન્મસમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી. પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મસમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય વિ. સં. ૧૬ ૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજ્યજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્પિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના કણસાગર નામના ગામમાં રહીને સં. ૧૬૬૩માં પોતાના શિષ્ય શ્રી જસવિજયજી (યશોવિજયજી) માટે આ પટ આલેખ્યો છે. પુષ્પિકાના લખાણ પ્રમાણે શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી નવિજયજી તે સમયે ગણિ અને પંન્યાસનું પદ ધરાવતા હતા. જેમને માટે આ પટ બનાવવામાં આવ્યો તે શ્રી યશોવિજ્યજીનો પણ તેમાં “ગણિ' તરીકે ઉલ્લેખ છે. હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તો સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજી જ હતા. સામાન્ય રીતે દિક્ષા પછી ઓછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (કોઈ અપવાદરૂપ પ્રસંગોમાં એથી ઓછાં વર્ષ પણ ગણિપદ અપાય છે.) તે મુજબ, સં. ૧૬ ૬૩માં જ જો શ્રી યશોવિજયજીને ગણિપદ અપાયું હોય તો સં. ૧૬પ૩ની આસપાસ એમને દીક્ષા અપાઈ હોય એમ માની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી . ૨૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy