SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને દેહ છોડ્યો હતો. એ માટે પણ તે ઉંમર સહેજ વહેલી ગણાય. પોતે તપસ્વી સાધુ હતા. બાળ બ્રહ્મચારી હતા, યોગવિદ્યાના અભ્યાસી હતા, સમતા૨સથી સભર જ્ઞાની હતા. એટલે એમણે સારું દીર્ઘાયુષ્ય ભોગવ્યું હશે એમ માનવાને વધુ કારણ રહે છે. આ વિષયમાં જ્યાં સુધી વધુ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી એમની જન્મસાલ વિશે થોડીક અનિશ્ચિતતા રહેવાની. જન્મસ્થળ અને દીક્ષા ‘સુજલવેલી ભાસ'માં જણાવ્યા પ્રમાણે ગુર્જરદેશમાં કનોડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું નામ સોભાગદે (સૌભાગ્યદેવી) હતું. તેઓને જશવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગેર (કુમારિગર)માં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નયવિજ્યજી કનોડુ (કનોડા) ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુપુરુષનાં ચરણોમાં વંદન કર્યું, અને સદ્ગુરુના ધર્મોપદેશથી જસવંતકુમારને વૈરાગ્યનો પ્રકાશ થયો. અહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જશવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જ્યવિજ્ય (શ્રી યશોવિજય) રાખવામાં આવ્યું. વળી, સોભાગદેના બીજા પુત્ર પદ્મસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. ‘સુજાવેલી ભાસ'માં લખ્યું છે : અણહિલપુર પાટણ ઈજી, લ્યઈ ગુરુ પાસે ચરિત્ર; યશોવિજ્ય એહવી કરીજી, થાપના નામની તવ, પદમસીહ બીજો વલીજી, તસ બાંધવા ગુણવંત; તેહ પ્રસંગે પ્રેરિયો, તે પણ થયો. વ્રતવંત, વિજ્યદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; બિહૂં તે સોલ અઠિયાસિયેંજી કરતાં યોગ્ય અભ્યાસ.' અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળનો નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નયવિજયજી ગુરુનાં સૌપ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કોડુંમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયજીનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિષે અન્ય કાંઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું (કનોડા) હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી. કનોડા ઉત્તર ગુજરાતમાં મહેસાણથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી * ૨૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy