SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ રચનાર તેઓ સર્વપ્રથમ હતા. સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણના રચયિતા, કોશ, અલંકાર, સાહિત્ય, ન્યાય આદિ અનેક વિષયો ઉપર સૂક્ષ્મતાપૂર્વક લખાયેલા ગ્રંથો જોતાં આપણે તેમની સર્વત્રગામિની બુદ્ધિનો પ્રભાવ જાણી શકીએ છીએ. આથી જ તેમનો ગુજરાતના રાજાઓ ઉપર પ્રભાવ પડ્યો હતો. ઉપરાંત તેમણે તે દ્વારા રાજાઓ પાસે અનેક પ્રજાનું કલ્યાણ થાય તેવાં કાર્યો કરાવ્યાં હતાં. આજે ગુજરાતમાં અહિંસાનો પ્રભાવ જોવા મળે તેમાં હેમચંદ્રાચાર્યનો મોટો ફાળો છે. આવા પ્રતિભાસંપન્ન આચાર્યનું જીવનચરિત્ર શ્રી રમણભાઈની કલમે આલેખાયું છે. ઉપાધ્યાય યશોવિજયજી: શ્વેતામ્બર જૈનપરંપરામાં વિક્રમની સત્તરમી સદીમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે તેવા સમ્રાટ અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિજીની પરંપરામાં માત્ર ગુજરાતને જ નહીં સમગ્ર દેશને ગૌરવ અપાવે તેવી અપ્રતિમ પ્રતિભા ધરાવનાર, વિપુલ સાહિત્ય સર્જક શ્રી યશોવિજયજી મ.સા. તથા તેમણે ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં શાસ્ત્રીય અને સામાન્યજનોપયોગી સાહિત્યની રચના કરી છે. શ્રી રમણભાઈ પણ ઉપાધ્યાયજીની સાહિત્ય સમૃદ્ધિથી તથા તેમના ચિંતન અને શાસ્ત્રીય અગાધતાથી વિશેષ આકર્ષિત થયા જણાય છે. તેથી જ તેમના જીવનનો સમગ્રતયા પરિચય અપાવે તેવી શ્રી યશોવિજયજી નામની પુસ્તિકાનું આલેખન કર્યું છે. પ્રસ્તુત પુસ્તિકામાં ઉપાધ્યાયજીનું જીવન, જ્ઞાનસાધના, લોકોપયોગી કાર્યોનું વિવરણ અને ખાસ તો તેમની સાહિત્યસમૃદ્ધિનું સરળ અને પ્રવાહી શૈલીમાં આલેખન કર્યું છે. આ ગ્રંથ વાંચતાં આપણે સ્વયં ઉપાધ્યાયજી મ.સા.ના ભક્ત બની જઈએ તેવી રીતે સુંદર લખાણ દ્વારા ગુજરાતની જનતાને એક સમર્થ શાસ્ત્રકારનો પરિચય કરાવ્યો છે. પ્રભાવક સ્થવિરોઃ જે મહાત્માને, યોગીને કે ધર્મપુરુષને એક વાર મળ્યા પછી વારંવાર મળવાનું મન થાય તેવા પુરુષોને પ્રભાવક પુરુષ કહેવામાં આવે છે. જેનધર્મમાં આવા પ્રભાવક પુરુષોના વિભિન્ન પ્રકારો વર્ણવ્યા છે. જેઓએ પોતાની સાધના દ્વારા સ્વ-કલ્યાણની સાથે સાથે પરિકલ્યાણ કરી સમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે તેવા પ્રભાવક પુરુષોની સાધના અને ઉપકાર સમય જતાં ભુલાઈ જાય છે અને પછી તો માત્ર નામ જ યાદ રહેતાં હોય છે. તેમનાં કાર્યોની યાદ તાજી રહે તે માટે સાહિત્ય એ જ મોટો આધાર છે. જૈનધર્મમાં આવા પ્રકારના ચરિત્ર-લેખો સમયે સમયે લખાયા છે. પરંતુ સાંપ્રતકાળના પ્રભાવક પુરુષોના જીવનનો ઇતિહાસ લખાય તે અત્યંત २९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy