SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગહન-ગંભીર, શાસ્ત્રીય છે. તેથી આ ગ્રંથ ઘણા સાધકો કંઠસ્થ કરે છે અને તેનો સ્વાધ્યાય પણ કરે છે. પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે તેનો વધુ ઉપયોગ થાય તે માટે તેમણે શ્લોક, શબ્દાર્થ, અનુવાદ અને વિશેષાર્થ એવો ક્રમ અપનાવ્યો છે. અનુવાદ અને વિશેષાર્થમાં મૂળ ગ્રંથનાં રહસ્યોને ખોલ્યાં છે. આથી આ ગ્રંથનો તેમનો અનુવાદ વાંચતાં વાંચતાં જિજ્ઞાસુ વધુ ને વધુ લીન બનતો જાય છે. અધ્યાત્મસાર : આ ગ્રંથ પણ ઉપાધ્યાય યશોવિજયજીએ રચ્યો છે. જ્ઞાનસારમાં જેમ જ્ઞાનનો સાર રજૂ કર્યો છે તેવી જ રીતે અધ્યાત્મસાર ગ્રંથમાં અધ્યાત્મનો સાર રજૂ કરવામાં આવ્યો છે. અધ્યાત્મની પરંપરા માટે સમગ્ર વિશ્વમાં ભારત દેશ સર્વોપરી સ્થાન ભોગવે છે તેમજ ભારતીય ઇતિહાસમાં અધ્યાત્મની અનેક પરંપરાઓ પ્રવાહિત થઈ છે. તે તમામનું અધ્યયન કોઈ પણ સાધક માટે દુરૂહ અને અશક્ય જણાય તેવી બાબત છે. ઉપાધ્યાય યશોવિજયજીએ વેદ, ઉપનિષદો, બૌદ્ધ ત્રિપિટક, યોગપરંપરા અને ગીતા આદિ ગ્રંથોનો સૂક્ષ્મ અભ્યાસ કરીને અર્થાતુ આવા વિશાળ જ્ઞાનસમુદ્રને વલોવીને અધ્યાત્મના રહસ્યને અહીં પ્રસ્તુત કર્યું છે. અધ્યાત્મસાર ગ્રંથ જ્ઞાનસાર કરતાં પ્રમાણમાં વિશાળ અને ક્લિષ્ટ હોવાને કારણે ઘણા સાધકો માત્ર ગ્રંથ જોઈને જ અધ્યયન કરવાનું માંડી વાળે છે. તેથી ઉત્તમ કહી શકાય તેવા આ ગ્રંથના લાભથી સાધકો વંચિત રહી જતા હતા. આ પરિસ્થિતિનો એક માત્ર ઉકેલ સરળ-સુબોધ અનુવાદ પ્રગટ કરવાનો હતો. આ પણ આ એક મોટો પડકાર હતો. આ પૂર્વે પણ અનુવાદો પ્રગટ થયા હતા પણ તે સરળ કે સુબોધ ન હતા. તેથી બહુ ઉપયોગી નીવડ્યા ન હતા. આ ખોટ રમણભાઈ દ્વારા પ્રગટ થયેલ અધ્યાત્મસાર ગ્રંથથી પૂરી થઈ છે. રાજસોભાગ આશ્રમ, સાયલાના પ્રણેતા શ્રી લાડકચંદભાઈ વોરા અને ટ્રસ્ટીઓએ ગ્રંથ તૈયાર કરી આપવા વિનંતી કરી. આ ગ્રંથનો અનુવાદ સારી રીતે થાય અને સાધકોને ઉપયોગી થાય તે માટે તેઓ સ્વયં સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમમાં બધાયથી અળગા થઈ એકાંત સ્થળે રહ્યા હતા અને ત્યાં રહી પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ પૂર્ણ કર્યો હતો. હેમચંદ્રાચાર્ય : સોલંકીકાળના યશસ્વી રાજા સિદ્ધરાજ અને અઢાર દેશના ધણી પરમાહત રાજા કુમારપાળના સમયમાં થઈ ગયેલા, કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજીના નામ અને પ્રભાવથી ગુજરાતની જનતા ભાગ્યે જ અજાણ હશે. તેમણે રચેલ વિપુલ સાહિત્ય સામગ્રીથી સમગ્ર દેશનું સાહિત્ય ગૌરવવંતું બન્યું છે. અપભ્રંશ ભાષાનું २८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy