SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી અને ગુજરાતી ભાષામાં અનુવાદ આપ્યો છે. મૂળ આગમ ન જાણનાર જિજ્ઞાસુઓ માટે તો આ ગ્રંથ જૈનધર્મની ગીતાનું કામ કરે છે. આ ગ્રંથની ચાર ચાર આવૃત્તિઓ પ્રગટ થઈ હોવા છતાંય આજે પણ આ ગ્રંથ અપ્રાપ્ય છે તે જ આ ગ્રંથની મહત્તા સૂચવે છે. જૈનધર્મના પુષ્પગુચ્છ: પ્રસ્તુત ગ્રંથના લેખક બિપિનભાઈ કાપડિયા તથા રમણભાઈ છે. તેમાં બને લેખકોના સમયે સમયે લખાયેલ લેખોનો સંગ્રહ છે. રમણભાઈ દ્વારા પ્રબુદ્ધજીવનમાં લખાયેલા લેખોમાંથી પસંદ કરેલા લેખોનો આ સંગ્રહ છે. પ્રો. બિપિનભાઈ કાપડિયા અને રમણભાઈની મૈત્રીના પરિણામનું આ સુફળ છે. તેમના લેખો વિશે અલગથી નોંધ કરી હોવાથી અહીં તેના વિશે વિશેષ લખવું જરૂરી નથી. જ્ઞાનસાર અષ્ટક: ઉપાધ્યાય યશોવિજયજી સમગ્ર શ્વેતામ્બર જૈન પરંપરાના અત્યંત સન્માનનીય શાસ્ત્રકાર છે. પાછલા કાળમાં થયા હોવા છતાંય તેમની બુદ્ધિ તીક્ષ્ણતાને કારણે તેઓ આજે સર્વત્ર પૂજનીય છે. એટલું જ નહીં પરંતુ તેમનાં વચનો ટંકશાળી મનાય છે. તેમનાં વચનોનો આધાર આપ્યા પછી બીજાને નનુ નચ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઉપાધ્યાય યશોવિજયજી મ.સા.ના ન્યાયદર્શન – જૈનદર્શનના ગ્રંથોમાં જોવા મળતી અકાઢ્ય તાર્કિકતા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. તેઓ ઉચ્ચકોટિના નૈયાયિક હોવા છતાં પરમ અધ્યાત્મવાદી પણ હતા. અધ્યાત્મની ભાવનાને પુષ્ટ કરે તેવા જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ ત્રણ ગ્રંથો છે. ત્રણેય ગ્રંથો માત્ર જૈનદર્શનના જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સાહિત્યના આભૂષણ રૂપ છે અને તેમાંય જ્ઞાનસાર નામનો ગ્રંથ તો અનેક વિદ્વાનોએ જૈનધર્મની ગીતા તરીકે ઓળખાવ્યો છે. સામાન્ય અનુછુપમાં લખાયેલ સંસ્કૃત ભાષાના પદ્યોમાં અધ્યાત્મના અમૃતને ઠાંસીઠાંસીને ભર્યું છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરવો એ પણ એક પડકાર જ ગણાય. આ ગ્રંથ ઉપર અન્ય અનુવાદો ઉપલબ્ધ છે તેમ છતાં તેમણે અનુવાદ આરંભ્યો ત્યારે મારે એ બાબતે ચર્ચા થઈ હતી. તેમણે જવાબમાં જણાવ્યું હતું કે અનુવાદો તો ઉપલબ્ધ છે પણ તે અનુવાદોની ભાષા અને વિવેચન સર્વજનભોગ્ય નથી. તેથી એક અનુવાદની આવશ્યકતા રહે છે જે સરળ ભાષામાં બધાને સમજાય તેવી શૈલીમાં લખાયેલો હોય. તે માટે તેમણે આ ગ્રંથનો અનુવાદ આરંભ્યો હતો. જ્ઞાનસારમાં જૈન તત્ત્વદર્શનનો નિચોડ આવી જાય છે. આ ગ્રંથ તત્ત્વસભર, ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy