SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રમણભાઈએ એક સર્વમાન્ય લગ્નવિધિ તૈયાર કરી છે. સામાન્ય રીતે જૈનો પણ વૈદિક પરંપરાની લગ્નવિધિનો જ આશ્રય લે છે. પરંતુ જૈન પરંપરા અનુસાર લગ્નવિધિ તૈયાર કરવાનું સર્વપ્રથમ શ્રેય રમણભાઈને પ્રાપ્ત થાય છે. આ ગ્રંથને આધારે તેમના પોતાના સંતાનનાં લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ અન્ય અનેક જૈન યુગલોનાં લગ્ન આ વિધિ પ્રમાણે થવા લાગ્યાં છે. આ એક આનંદની ઘટના છે. જૈનધર્મ : પરિચય ટ્રસ્ટ દ્વારા વિવિધ વિષયોની પરિચયપુસ્તિકાઓ પ્રગટ થાય છે. આ શ્રેણીમાં શ્રી રમણભાઈની જૈનધર્મ પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. જૈનધર્મ વિશ્વના પ્રાચીન ધર્મમાંનો એક જીવંતધર્મ છે. આ ધર્મના અનેક મૌલિક સિદ્ધાન્તોની સમજ ઘણા ઓછાને હોય છે. એટલું જ નહીં જૈનોમાં પણ ઘણા ઓછા જૈનોને પોતાના ધર્મની સામાન્ય સમજ હોય છે. આજે પ્રગતિ વધતી જાય છે. એક સાથે અનેક ધર્મના લોકો સાથે મળીને કામ કરતા હોય છે. એટલે વિવિધ ધર્મોની વાતો થાય. તેથી જૈનોને પણ પોતાની વાત કરવી પડે. તે સમયે ધર્મનું સામાન્ય જ્ઞાન પણ ન હોવાને કારણે ક્ષોભ અનુભવવો પડતો હોય છે. તેથી જૈનધર્મના પાયાના સિદ્ધાન્તોનું જ્ઞાન આપનાર કોઈ લઘુ પુસ્તિકાની આવશ્યકતા હતી. તેની પૂર્તિ શ્રી રમણભાઈની પ્રસ્તુત પુસ્તિકા કરે છે. જૈનધર્મ નામની ૩૨ પાનાની લઘુ પુસ્તિકામાં રમણભાઈએ જૈનધર્મના વિશાળ સમુદ્રને ગાગરમાં ભરી દીધો છે. જૈન ધર્મના સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનનું કથન કરતી વખતે સહુથી મોટો પડકાર એ હોય છે કે એક સિદ્ધાન્તની રજૂઆત કરતાં બીજા સિદ્ધાન્તને બાધા ન પહોંચવી જોઈએ. આવી તકેદારી રમણભાઈના લખાણમાં જોવા મળે છે. આ પુસ્તિકામાં જૈનધર્મના મુખ્ય તમામ સિદ્ધાન્તોને રજૂ કરવામાં આવ્યા છે. સરળ ભાષામાં સ્પષ્ટતાપૂર્વક ધર્મની સમજ રજૂ કરતી જૂજ પુસ્તિકાઓમાં પ્રસ્તુત પુસ્તિકા અગ્રક્રમે છે. જિનવચન : પરમાત્મા મહાવીર ભગવાનના ઉપદેશને ગણધર ભગવંતોએ ઝીલ્યો અને તે જ ઉપદેશને ગણધરોએ સૂત્રરૂપે ગૂંથ્યો, જે આગમના નામે પ્રચલિત છે. આ આગમો પ્રાકૃત ભાષામાં લખાયા છે. તેમાં અનેક વચનો રત્ન જેવાં મૂલ્યવાન છે. તે ધારણ કરવાથી માનવજીવન દિવ્ય બની શકે છે. આવાં વચનોનો સંગ્રહ રમણભાઈ દ્વારા જિનવચન નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તેમણે દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર અને પ્રશ્નવ્યાકરણ જેવા આગમ ગ્રંથોમાંથી અત્યંત ઉચ્ચ કોટિની ઉત્તમ ગાથાઓનું ચયન કર્યું છે અને તેનો અંગ્રેજી, २६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy