SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી છે. આ આવશ્યકતાને નજર સમક્ષ રાખી રમણભાઈએ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી બુદ્ધિસાગરસૂરિજી, શ્રી ચારિત્રવિજ્યજી, શ્રી બુટેરાયજી, શ્રી વૃદ્ધિચંદ્રજી, શ્રી મોહનલાલજી, શ્રી શાંતિસૂરિજી, શ્રી રાજેન્દ્રસૂરિજી, શ્રી શાંતિસાગરસૂરિજી, શ્રી અજરામરસ્વામીજી, શ્રી વિજ્યધર્મસૂરિજી, શ્રી આનંદસાગરસૂરિજી, પંડિતક િશ્રી વીરવિજ્યજી, વિજ્યનેમિસૂરિજી, વિજયરામચંદ્રસૂરિજી આદિ ૧૭ પ્રભાવક આચાર્યોના જીવન વિશે સુંદર પરિચય આપતો દળદાર ગ્રંથ તૈયાર થયો છે. સંશોધકો માટે આજે તો તે સંદર્ભગ્રંથની કોટિનો ગ્રંથ છે. તે ગ્રંથનું વાચન કરતાં તે આચાર્ય વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. તે શ્રી રમણભાઈની આચાર્ય પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાના દ્યોતક છે. વાચક પણ જીવનચરિત્ર વાંચતાં વાંચતાં અભિભૂત થાય, અનુમોદના કરે અને પ્રેરણા પામે તેવી રોચક શૈલીમાં આ લેખો લખાયા છે. જૈનધર્મના ગૌરવ સમાન આ ગ્રંથ છે. શેઠ મોતીશા : અંગ્રેજોના આગમન પછી દેશની પરિસ્થિતિ પલટાઈ રહી હતી. તેવા સમયે પણ વ્યવહાર અને વ્યાપારમાં કુશળ એવા અનેક જૈન શ્રેષ્ઠિઓએ પોતાના વ્યાપારને દેશવિદેશમાં વિસ્તાર્યો હતો. પોતાના વ્યાપારની સીમાઓ વધારતા જતા હતા. છતાંય ધર્મની શ્રદ્ધામાં જરાય ઊણપ લાવ્યા વગર શાસન પ્રભાવનાનાં કાર્યોની જાણે કે વણઝાર ઊભી કરી હોય તેવી પ્રતીતિ થાય. આવા પ્રતાપી પૂર્વજોના જીવન ઉ૫૨ રમણભાઈનું પ્રસ્તુત પુસ્તક શ્રાવકોને અને ખાસ કરીને વ્યાપારીઓને પ્રેરણા આપનારું છે. મોતીશા શેઠે ખૂબ જ સામાન્ય વ્યાપારથી માંડીને મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પાલિતાણા ઉપર મોતીશાની ટૂંકનું નિર્માણ કરાવ્યું અને આવાં અનેક ચિરસ્થાયી કાર્યો તેમણે કર્યાં. તે ભવિષ્યની પેઢીને સદાય પ્રેરણા આપે તેવાં છે. તેની નોંધ આપણાં સુધી શ્રી રમણભાઈએ પહોંચાડી છે. જિનતત્ત્વ ભા. ૧થી ૭: જૈનધર્મનાં અનેકવિધ તત્ત્વોનું રહસ્ય પામવું સુલભ નથી. આ રહસ્યને તેઓએ સૂક્ષ્મ રીતે દોહન કરીને જુદાજુદા સમયે પ્રબુદ્ધજીવનમાં લેખરૂપે પ્રગટ કર્યા હતા. તે લેખોનો સંગ્રહ પણ સમયે સમયે પ્રગટ થતો રહ્યો છે. આ લેખ સંગ્રહને શ્રી રમણભાઈ દ્વારા જિનતત્ત્વ એવું નામ અપાયું હતું. આ જિનતત્ત્વના સાત ભાગો પ્રગટ થયા છે. સાત ભાગમાં જુદા જુદા વિષયના લેખો તે તે વિષયની સૂક્ષ્મતમ માહિતી રજૂ કરે છે. તેમણે વિષયને લગતા તમામ સાહિત્યને વાંચી, તેમાંથી સારતત્ત્વ Jain Education International ३० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy