SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ उपवुह थिरीकरणे, वच्छल पभावणे अw.' (૧) નિઃશક્તિ – જિનવચનમાં સંશય ન રાખવો. (૨) નિઃકાંક્ષિત – અન્ય મિથ્યા દર્શનોની આકાંક્ષા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા – સાધુઓનાં મલિન વસ્ત્રાદિ જોઈ દુર્ગછા ન કરવી, જુગુપ્સા ન કરવી અથવા ધર્મના ફળ વિશે સંશય ન કરવો. જી અમૂઢતા – વિદ્યાવંત કુતીર્થિકની ઋદ્ધિ કે ઠાઠમાઠ દેખીને ચલિત ન થઈ જવું. (૫) ઉપબૃહણા - સાધર્મિક જીવોના દાનશીલાદિ સણોની પ્રશંસા, અનુમોદના ના કરવી અને તેના સગુણોની વૃદ્ધિ થાય તેમ કરવું. (૬) સ્થિરીકરણ – ધર્મમાંથી ચલિત થવા તા જીવોને ધર્મમાર્ગમાં પુનઃ સ્થિર કરવા. (૭) વાત્સલ્ય - સાધર્મિકોની ભોજન-વસ્ત્રાદિ દ્વારા બહુમાનપૂર્વક ભક્તિ કરવી અને તેમનું વત્સલતાથી હિત ચિંતવવું. (૮) પ્રભાવના – પ્રવચન, ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા ધર્મનો પ્રભાવ વધારવો. એવાં કાર્યો કરવાં કે જેથી અન્ય લોકો પણ ધર્મની પ્રશંસા, અનુમોદના કરે અને ધર્મનું આલંબન સ્વીકારવા પ્રેરાય. ધર્મની પ્રભાવના સર્વોત્તમ રીતે તો તીર્થંકર પરમાત્મા જ કરતા હોય છે. એમની અનુપસ્થિતિમાં પ્રભાવક આચાર્ય ભગવંતો, પ્રભાવક ઉપાધ્યાય ભગવંતો, પ્રભાવક સાધુ ભગવંતો વગેરે ધર્મનો ઘણો સારો પ્રભાવ કરે છે. પ્રભાવનાનો સમ્યકત્વ સાથે સંબંધ છે. સમકિતના સડસઠ બોલમાં પ્રભાવનાનો નિર્દેશ બે વખત કરવામાં આવ્યો છે. સમક્તિના પાંચ ભૂષણમાંનું એક ભૂષણ તે પ્રભાવના છે. આ દર્શાવે છે કે સ્વ-પર ઉપકારક એવી પ્રભાવનાનું મહત્ત્વ કેટલું બધું છે. પ્રભાવના એટલા માટે તીર્થંકર નામકર્મના કારણરૂપ મનાય છે. જો હોતે મુજ શક્તિ ઇગ્ની, સવિ જીવ કરું શાસનરસી.' એવી ભાવ-દયા દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના થાય છે, જે ધર્મપ્રભાવનાના મૂળમાં રહેલી છે. પોતપોતાના ધર્મનો પ્રચાર કરવાનું સૌ કોઈને ગમે. પોતાના ધર્મમાં અન્ય લોકોને રસ લેતા જોઈને અથવા પોતાનો ધર્મ સ્વીકારતા અને આચરતા જોઈને સૌ કોઈને આનંદ થાય એ સ્વાભાવિક છે. દુનિયામાં બધા જ ધર્મો સમાન, એકસરખા છે, એમ કહેવું તત્ત્વની દૃષ્ટિએ યોગ્ય નથી. દરેક ધર્મને પોતાની કંઈક વિશેષતા હશે, તોપણ માત્ર વ્યાવહારિક સદાચારની ભૂમિકાથી માંડીને આત્મહત્ત્વની ઊંડી વિચારણા સુધી જનારા ધર્મો ઘણા ઓછા છે. તેમાં પણ સમગ્ર જીવનસૃષ્ટિને આવરી લેનાર, સંસારની સમગ્ર ઘટનાઓનો સકારણ પ્રતીતિકર ખુલાસો આપનાર, આત્મતત્ત્વની ગહન વિચારણા કરનાર ધર્મ વિરલ છે. પ્રભાવના જ ૨૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy