SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનો પ્રચાર થાય એ ગમતી વાત છે, પરંતુ પ્રચાર' શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી વર્તમાન સમયમાં કંઈક વગોવાયેલો છે. અસત્યનું વારંવાર પુનરુચ્ચાણ કરવાથી તે સત્ય જેવું ભાસે છે એવી પ્રચારની યુદ્ધનીતિ જાણીતી છે. ગતમાં કેટલાક ધર્મોનો ફેલાવો તલવારના જોરે કે બંદૂકની અણીએ થયો છે. બળજબરીથી થયેલી ધર્મની વટાવપ્રવૃત્તિ ઇતિહાસે જોઈ છે. અન્ય ધર્મીઓની જ્યારે સામુદાયિક કતલ કરવામાં આવી છે ત્યારે પોતાના પ્રાણ બચાવવાને માટે માણસે ધમન્તર કર્યું છે. ક્યારેક રાજાનો ધર્મ પ્રજાએ સ્વીકાર્યો છે અને રાજા ધર્માન્તર કરે ત્યારે પ્રજા પણ ધર્માન્તર કરે એવી ઘટનાઓ પણ બની છે. ગરીબ, અજ્ઞાન, લોકોને પૈસા અને ચીજવસ્તુઓ દ્વારા લલચાવીને તેમની પાસે ધર્માન્તર કરાવવામાં આવ્યું હોય એવા ઘણા દાખલા છે. ધર્મપ્રચારમાં અસત્યનો, અનીતિનો, લાલચનો, છેતરપિંડીનો, ત્રાસવાદનો આશ્રય પણ કેટલીક વાર લેવાયો છે. આવી રીતે થતો ધર્મપ્રચાર વ્યાપક ભલે ગમે તેટલો થાય, પરંતુ તેમાં ઊંડાણ નથી હોતું. એ આચરનારા લોકો પણ સપાટી પરનું ધર્માચરણ કરતા હોય છે. પોતાના ધર્મનો પ્રચાર પ્રામાણિકતાથી કરવામાં આવે અને પ્રચાર' શબ્દ કરતાં પ્રસાર' શબ્દ વધુ યોગ્ય છે. પરંતુ ક્યારેક એમાં સંખ્યા વધારવાની લાલચમાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો ભોગ અપાય છે. અનેક લોકો પ્રેમથી ધર્મ સ્વીકારે છે, પરંતુ એના હાર્દ સુધી ઓછા લોકો પહોંચે છે. રાજ્યસત્તાના આશ્રયે અથવા પુષ્કળ નાણાં ખર્ચીને, ભાડૂત ધર્મપ્રચારકો રોકીને ધર્મનો પ્રચાર કરાવાય છે. એવા પ્રચારમાં લોકો ધર્મ તરફ આવે છે એમ કહેવા કરતાં ધર્મને લોકો તરફ લઈ જવામાં આવે છે એમ કહેવું વધુ યોગ્ય ગણાય. પ્રચાર કે પ્રસાર કરતાં પ્રભાવના” શબ્દ ચઢિયાતો છે. પ્રભાવનામાં ઉત્તમ ધર્મની પ્રતીતિ થતાં લોકો પોતે જ સ્વેચ્છાએ એ ધર્મ પ્રતિ આકર્ષાય છે, એથી આનંદિત થાય છે અને જીવનમાં તે ધર્મ ઉતારવા માટે પ્રવૃત્ત બને છે. પ્રભાવનામાં અસત્ય, અનીતિ, છેતરપિંડી, લાલચ, કૃત્રિમ પ્રયાસ ઈત્યાદિનો આશ્રય લેવામાં આવતો નથી. પ્રભાવનાના પાયામાં સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, અનુકંપા, લોકહિતની સાચી ભાવના ઈત્યાદિ રહેલો હોય છે. જીવમાત્રના ઐહિક તથા પારલૌકિક કલ્યાણનો પરમ સંદેશ પ્રભાવનામાં સહજ રીતે અનુસ્મૃત રહેલો છે. જૈનધર્મમાં પોતપોતાની વિશિષ્ટ શક્તિ વડે ધર્મનો પ્રભાવ વધારનારી મહાન વ્યક્તિઓના આઠ જુદા જુદા પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : (૧) પ્રવચન પ્રભાવક, (૨) ધર્મકથક પ્રભાવક, (૩) વાદી પ્રભાવક (અથવા નિરપવાદ પ્રભાવક), () નિમિત્તવેત્તા પ્રભાવક (અથવા ત્રિકલજ્ઞ પ્રભાવક), (૫) તપસ્વી પ્રભાવક, (૬) ૨૪૦ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy