SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવનાના નિશ્ચય પ્રભાવના અને વ્યવહાર પ્રભાવના' એવા બે પ્રકાર બતાવવામાં આવે છે. નિશ્ચય પ્રભાવનાની સમજણ આપતાં કહેવાયું છે : सम्यग्दर्श नज्ञानचारित्ररत्नत्रयप्रभावेन आत्मन प्रकाशनं प्रभावनम् । સિમ્યગૂ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રરૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને પ્રકાશમાન કરવો એનું નામ પ્રભાવના છે.] विज्जारहमारुढो मणोरहपपसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मदिट्ठा मुणेयव्वो ॥ જે આત્મવિદ્યારૂપી રથ ઉપર આરૂઢ થઈને જ્ઞાનરૂપી રચના માર્ગમાં ભ્રમણ કરે છે તે જિનેશ્વર ભગવાનના જ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગુદૃષ્ટિ જીવ છે એમ કહેવાય છે.) मोहारतिक्षते शुद्धः शुद्धच्छुद्धतरस्ततः । जीवः शुद्धतमः कश्चिदयस्तीत्यात्मप्रभावना ॥ મોહરૂપી શત્રુનો નાશ કરતાં જઈ શુદ્ધમાંથી શુદ્ધતર અને શુદ્ધતરમાંથી શુદ્ધતમ ભૂમિકા ઉપર પહોંચવાનો પુરુષાર્થ તે આત્મપ્રભાવના છે.]. વળી કહેવાયું છે કે વ્યવહારરૂપી પ્રભાવનાના ગુણથી મિથ્યાત્વ તથા વિષયકષાય વગેરેના વિભાવનો નાશ કરીને શુદ્ધોપયોગ દ્વારા પોતાના શુદ્ધાત્માને પ્રકાશમાન કરવો એનું નામ પ્રભાવના છે. આમ, પ્રભાવના એટલે પ્રગટ કરવું પ્રકાશિત કરવું, ઉદ્યોત કરવું. આ પ્રમાણે પોતાના જ્ઞાનને નિરંતર વધારતાં જવું એને નિશ્ચયર્દષ્ટિએ પ્રભાવના કહેવામાં આવે છે. - વ્યવહાર પ્રભાવના એટલે એવી ધર્મક્રિયા કે જેનાથી ધર્મનો પ્રભાવ વધે એટલે ઘણા લોકો ધર્મ પ્રત્યે આકર્ષાય. ધર્મનો પ્રભાવ ઘણી જુદી જુદી રીતે થઈ શકે છે. એટલે પ્રભાવનાના જુદા જુદા પ્રકાર દર્શાવવામાં આવે છે. સંસારમાં તરણતારણની દૃષ્ટિએ ચાર પ્રકારના જીવો બતાવવામાં આવે છે. કેટલાક એવા જીવો હોય છે કે જે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે, પણ બીજા કોઈનું કલ્યાણ કરતા નથી. જિનકલ્પી સાધુઓ એ પ્રકારના હોય છે. કેટલાક એવા જીવો હોય છે જે બીજાનું કલ્યાણ કરી શકે છે, પરંતુ ખુદ પોતાનું આત્મકલ્યાણ કરી શકતા નથી, કારણ તે પોતે જે ઉપદેશ આપે છે તે ઉપદેશમાં પોતાને જ શ્રદ્ધા હોતી નથી. અભવ્ય જીવો આ પ્રકારના હોય છે. કેટલાક જીવો એવા હોય છે કે પ્રભાવના - ૨૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy