SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ ઉપર” શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે. જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઈજા અથવા હાનિ, ) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિનો વળગાડ, (૬) મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણનો ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયનો એક પ્રકાર – ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતો શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાનો ખંડ, (૧૨) દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત. જૈનોમાં ૩પ' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત “૩ાસ' ઉપરથી આવેલો પ્રાકૃત – અર્ધમાગધી શબ્દ “વસ' પણ વપરાય છે. “ISi' સૂત્રકતાંગ) નામના આગમગ્રંથમાં “વસ' ઉપર એક અધ્યયન પણ આપેલું છે. “વસ - ટુરમ્' નામનું ચમત્કારિક સ્તોત્ર જૈનોમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુરચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તોત્રનો નીચેનો શ્લોક મંગલ સ્તુતિ – માંગલિક તરીકે બોલવા - સંભળાવવાની પરંપરા પણ જૈનોમાં પ્રચલિત છે. उपसर्गाठ क्षयं यान्ति, छिद्यन्ते विजवल्लयः । मन प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ।। જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે આવી પડેલું ભયંકર કષ્ટ. ક્યારેક એ કષ્ટ મારણાત્તિક પણ હોય છે, એટલે કે મૃત્યુમાં પરિણમનારું હોય છે. જૈન શાસ્ત્રકારોએ ૩પસf-૩વસ ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે: () ૩૫ + મૃગુ = જોડાવું जीव उपसृज्यते सम्वध्यते पीडादिभिः सह यस्मात् तत् उपसर्गः | જેના વડે જીવ પીડા વગેરે સાથે સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ કહેવાય ૨૧૬ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy