SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી અશુદ્ધિ. (૩) અનાભોગ પ્રતિસેવનાઃ અનાભોગ એટલે અજ્ઞાન. એને કારણે થતાં દુષ્કર્મો. આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે. (૫) આત્મપ્રતિસેવનાઃ આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે : (અ) દ્રવ્યાપત્તિ યોગ્ય આહાર આદિ ન મળે), (બ) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (ક) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે, (ડ) ભાવાપત્તિ માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્યચિત્ત ઉપરનો સંયમ ગુમાવી બેસે તે). (૬) સંકીર્ણ પ્રતિસેવનાઃ આહાર વગેરેમાં દોષની શંકા થવા છતાં તેનો ઉપયોગ કરવાથી થતી વિરાધના. (૭) સહસાકાર પ્રતિસેવના અચાનક વગર વિચાર્યું થઈ તું અનુચિત કાર્ય. (૮) ભય પ્રતિસેવના: અપમાન, લોકનિંદ્ય, સજા, મૃત્યુ ઈત્યાદિના લયને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા ઉપર આળ ચડાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસનો સેવે ઈત્યાદિ અકાર્ય. (૯) પ્રદોષ પ્રતિસેવનાઃ ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ. (૧૦) વિમર્શ પ્રતિસેવના કોઈની પરીક્ષા કે કસોટી કરવાના ઇરાદાથી જાણીજોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય. ચિત્તશુદ્ધિ માટે આ દસ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂક્ષ્મ રોગ ક્યારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન વ્યક્તિએ પોતે કરવાનું રહે છે અને નિદાન થયા પછી તેનો ઉપચાર પણ તરત કરવાનો રહે છે. પોતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની શોધ અને બુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તો ગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર શિકાર જેમ સિંહના હુમલા વખતે દોડી ન શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. દોષરૂપી કાંટાના તત્કાળ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રોગની જેમ દોષોની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષોનું તત્ક્ષણ શોધન કરવું એ ઉત્તમ પુરુષોનું લક્ષણ ગણાયું છે. પ્રતિસેવના એક ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy