SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભ કર્મ બંધાઈ જાય છે. અભ્યાખ્યાનનું પાપકર્મ કેટલું ખરાબ છે તે વિશે ઉપમા આપતાં ‘હિંગુલપ્રકરણ’ ગ્રંથમાં કહેવાયું છે કે : देवेषु किल्बिषो देवो ग्रहेषु च शनैश्वरः । अभ्याख्यानं तथा कर्म सर्व कर्मसु गर्हितम् ॥ [જેમ દેવતાઓમાં કિલ્બિષ નામના દેવતા હલકા ગણાય છે, જેમ ગ્રહોમાં શનિશ્ચર ગ્રહ હલકો ગણાય છે, તેમ બધાં કર્મોમાં અભ્યાખ્યાનનું કર્મ ઉપર આળ ચઢાવવાનું કર્મ હલકું ગણાય છે.] પારકા અભ્યાખ્યાની કેવા પ્રકારનાં કર્મ બાંધે છે અને ભોગવે છે તે વિશે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે जेण परं अलिएणं असंतक्यणेणं अष्मख्खाणेणं अब्भकरवाई । तस्सणं तहप्पगास चेव कम्मा कज्जति । जत्थेवणं भिसमागच्छति, त्थेव पडिसंवेदई । (માવતીસૂત્ર ૧/૬) [જેઓ બીજાં ઉપર જૂઠાં કલંક ચડાવે છે, અભ્યાખ્યાનનું પાપ આચરે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે, જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેઓ તેવાં ફ્ળ ભોગવે છે.] આમ, અભ્યાખ્યાનનું પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારનાં ભારે દુઃખ ભોગવવાં પડે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કેઃ અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણો જી; તે તો દોષે રે તેહને દુઃખ હોવે, ઈમ ભાખે જિન-ભાણો જી.’ ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ જે ન હોય તેવા દોષો કે ભાવોનું આરોપણ કરવું એ પણ અભ્યાખ્યાનનો જ એક પ્રકાર છે. આવા અભ્યાખ્યાનીઓ મિથ્યાત્વી હોય છે. વસ્તુતઃ મિથ્યાત્વી હોવાને કારણે તેઓ અભ્યાખ્યાની બને છે. ઉપાધ્યાય શ્રી. યશોવિજ્યજી કહે છે : મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદો જી, ગુણઅવગુણનો જે કરે પાલટો, તે પામે બહુ ખેદો જી.’ - Jain Education International ૨૦૨ જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy