SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ આવા મિથ્યાત્વીઓ ગુણ-અવગુણનો પાલટો કરે છે એટલે કે જ્યાં ગુણ હોય ત્યાં અવગુણનું આરિૌપણ કરે છે અને અવગુણ હોય તેને ગુણ તરીકે માને છે. આવા મિથ્યાત્વી અભ્યાખ્યાનના ઘણા પ્રકાર સંભવી શકે છે. પરંતુ શાસ્ત્રોમાં તેના મુખ્ય દસ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવે છે: (૧) ધર્મને અધર્મ કહેવો (૨) અધર્મને ધર્મ કહેવો (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહેવો (૪) ઉન્માર્ગને સન્માર્ગ કહેવો (૫) સાધુને અસાધુ કહેવો (૬) અસાધુને સાધુ કહેવો (૭) જીવને અજીવ કહેવો (૮) અજીવને જીવ કહેવો (૯) મુક્તને સંસારી કહેવો (૧૦) સંસારીને મુક્ત કહેવો જે વ્યક્તિને કર્મસિદ્ધાન્તમાં અટલ વિશ્વાસ છે અને ધર્મમાં રચિ અને શ્રદ્ધા છે. જે વ્યક્તિને સન્માર્ગે વિકાસ સાધવો છે, તે વ્યક્તિએ અઢારે પ્રકારનાં પાપો આચરતાં અટકવું જોઈએ. બીજાના ઉપર ઈરાદાપૂર્વક ખોટું કલંક ચડાવવારૂપી અભ્યાખ્યાનના પાપથી તો એણે અવશ્ય અટકવું જ જોઈએ, પણ એથી આગળ વધીને બીજાના સાચા જે દોષ હોય તે દોષના પ્રત્યક્ષ કે પરોક્ષ કથનથી પણ અટકવું જોઈએ. એણે ગુણદર્શી અને ગુણગ્રાહી બનવું જોઈએ. બીજામાં સગુણો જોઈને એને હર્ષોલ્લાસ થવો જોઈએ. સકુવૃત્તીનો જુગાથા રોકવાદ્દે મૌનું એવી એની વૃત્તિ અને પ્રવૃત્તિ હોવી જોઈએ. ‘હિંગુલપ્રકરણમાં કહ્યું છે: यथाभक्ष्यं न भक्ष्यते द्वादशव्रतधारिभिः । अभ्याख्यानं न चोच्यते, तथा कस्यापि पंडितैः ॥ જેવી રીતે બાર વ્રતધારી માણસોએ અભક્ષ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તેવી જ રીતે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટું કલંક લગાડવું ન જોઈએ.] કેટલાંક સમતાધારી, સમ્યગુદૃષ્ટિવાળા માણસો પર અથવા તેથી પણ આગળ વધેલા, સંસારથી વિરક્ત બનેલા સાધુ મહાત્માઓ ઉપર કોઈ અસત્યારોપણ કરે, આળ ચડાવે તો તેઓ “વાસીચંદન કલ્પની જેમ માધ્યસ્થ દૃષ્ટિ રાખી તે વ્યક્તિને મનોમન માફ કરી દે છે. તેઓ પોતાના આત્માની સાક્ષીએ પોતાની જાતને પૂછી અભ્યાખ્યાન જ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy