SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પરલોકમાં નરકની વેદનારૂપી ફળ થાય છે.] અપયશ અને અવિશ્વાસ એ ચોરને થતી સામાજિક સજા છે. ચોરી કરનાર માણસની આબરૂ ખલાસ થઈ જાય છે. વ્યવસાયમાં તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. ખુદ ચોર પણ બીજા ચોરનો વિશ્વાસ કરતો નથી. કૌટુંબિક તથા સામાજિક દૃષ્ટિએ પણ એને ઘણું સહન કરવાનું આવે છે. ક્યારેક પોતાની થયેલી અપકીર્તિ માટે માણસને એટલું બધું લાગી આવે છે કે તે આપઘાત કરવા સુધીનું પગલું ભરી બેસે છે. ચોરી કરનાર વ્યક્તિ તો સમાજમાં બદનામ થાય છે. પરંતુ ચોરલોકોની સાથે સંગત રાખનારા અથવા ચોરની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે વ્યવહાર રાખનારાઓની પ્રતિષ્ઠા પણ જોખમાય છે. પોતાના કુટુંબની એક વ્યક્તિ ચોરી કરતાં પકડાય તો સમગ્ર કુટુંબને ઘણીબધી બાબતોમાં સહન કરવાનું આવે છે. ચોરી એક વાર કે ઘણી વાર કરે અને પોતે જીવનના અંત સુધી પકડાય નહિ તોપણ પોતે કરેલું પાપનું, અશુભ કર્મનું ફળ તો આ ભવમાં કે ૫૨ભવમાં ભોગવવાનું આવે છે. એ દુઃખ ઘણી જુદી જુદી રીતે આવી શકે છે. દરિદ્રતા, દૌર્બલ્ય, કુટુંબ-ક્લેશ, શારીરિક પીડા વગેરે રૂપે પણ એ ફળ ભોગવવાનાં આવે છે. ટૌર્માન્ય ચ વ્રિત્યું નામતે ધૈર્યતો નo I ચોરી કરનાર મનુષ્ય છેવટે દુર્ભાગ્ય અને દરિદ્રતા પામે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે ઃ इहएव खरारोहण गिरहा धिक्कार मरण पज्जतं । दुःखं तक्कर पुरिसा लहंति निरयं परभवम्मि ॥ निरयाऊ उ वद्दता केवट्टाकुक्कुट मंट बहिरंधा । चोरिक्क वरण निहया नरा भव सहस्सेसु ॥ [ચોરને આ ભવમાં ગધેડા પર બેસવાનો વખત આવે, તેની નિંદા થાય અને મરણ પર્યંત સૌ કોઈ તેને ધિક્કારે. ચોર લોકો આ ભવમાં એવા ભયંકર દુ:ખો પામે અને પરભવને વિશે તો નરકત જ પામે. વળી તે ચોર પુરુષનો જીવ નરકગતિમાંથી નીકળીને લૂલો, લંગડો, બહેરો, આંધળો થાય. ચોરી કરવારૂપ વ્યસનથી હણાયેલા તે પુરુષો હજારો ભવને વિશે તે રીતે દુ:ખી થાય.] ‘શાનાર્ણવ’માં કહ્યું છે : Jain Education International विशन्ति नरकं घोरं दुःखज्वालाकरालितं । असूत्र नियते मूढाः प्राणिनश्तचौर्यचर्विताः ॥ અદત્તાદાન વિરમણ * ૧૬૫ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy