SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ [ચોરી કરવાવાળો મૂઢ માણસ દુઃખરૂપી જ્વાળાથી કરાલ એવા નરકમાં નિશ્ચિતપણે પ્રવેશે છે.] गुणा गौणत्वमायान्ति याति विद्या विडम्बनाम् ॥ चौर्येणाऽकीर्तयः पुसां शिरस्यादधते पदम् ॥ [ચોરી કરવાથી માણસના સદ્ગુણો ગૌણ બની જાય છે, એની વિદ્યાની વિડંબના થાય છે, અને અપકીર્તિ એના માથા ઉપર ચડી બેસે છે.] ચોરીની સાથે કેટલીક દુવૃત્તિઓ સહજ રીતે સંકળાયેલી હોય છે. બીજાને ત્રાસ આપવો, ભય બતાવવો, નિર્દય થવું, ખૂન કરવું, આગ લગાડવી, પરસ્પર ક્લેશ ઉત્પન્ન કરાવવો, લોભ, આસક્તિ, અતૃપ્ત વાસના, અપયશ, અનાર્યતા, દિવસરાતના કાળની વિષમતા, છળ, પ્રપંચ, ચિંતા, તર્કવિતર્ક, કપટ, ધૂર્તતા, શઠતા, મદિરાપાન, મંત્રતંત્રના પ્રયોગો, સંતોથી વિમુખતા, પાપાચરણની ઉત્તરોત્તર વૃદ્ધિ, અવિશ્વાસ, વૈરવૃદ્ધિ, માંહોમાંહે મારામારી, અને છેવટે મૃત્યુ અને નરકગતિ સુધીની શક્યતાઓ તેમાં રહેલી છે. ચોરીની શિક્ષા જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી હોય છે. કોઈ રાજ્ય એવું નહિ હોય કે જ્યાં ચોરી માટે સજા ન હોય. સમાજવ્યવસ્થા માટે તથા ન્યાયતંત્રના પ્રવર્તન માટે ચોરીના અપરાધીને સજા થવી જરૂરી છે. વળી ચોરી કરનારને લોકો મારતા પણ હોય છે. આથી ચોરી કરનારના મનમાં ભય રહે છે. કેટલાંયે માણસો આવા ભયને કારણે ચોરી નથી કરતા. પરંતુ એમ કરતાં જ ચોરી કરીને કોઈ વસ્તુ મેળવવા માટેની એમની પ્રીતિ ઘટી જાય છે. નાનાં બાળકોમાં પણ સારા સંસ્કાર પડ્યા હોય તો પરાઈ વસ્તુ ચોરી લેવાનું કુદરતી રીતે જ એમને મન નહિ થાય. કેટલાક લોકો ચોરી કરે છે, પણ એ રકમમાંથી સારું દાન પણ આપે છે અને દલીલ કરતાં કહે છે કે અમારે સંજોગાનુસાર ચોરી કરવી પડે છે. પણ અમે દાન આપીને કેટલાંયે ગરીબ કુટુંબોનું ભરણપોષણ પણ કરીએ છીએ. અમે જો ચોરી ન કરીએ તો એ કુટુંબોને ભૂખે મરવાનો વખત આવે.' આવી દલીલ કરવી તે નર્યું અજ્ઞાન છે. એમાં માત્ર સ્વબચાવ માટે કુતર્ક રહેલો છે. ન્યાયથી ધન ઉપાર્જન કરવું એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એ જો ચૂક્યા તો પછી બીજી બાબતોમાં ક્યારે મર્યાદા ચૂકી જવાશે તે કહી શકાય નહિ, દાનનું પુણ્ય તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ એ પહેલાં ચોરીનું પાપ તો અવશ્ય થાય છે, જે ભોગવ્યા વગર છૂટકો નથી. ઇરાદાપૂર્વક માણસે ચોરી ન કરી હોય પણ કોઈની પડી ગયેલી કે ભુલાઈ ગયેલી વસ્તુ રસ્તામાંથી જડે તો તે ઉપાડી લેવા માટે માણસનું મન લલચાય છે. આવી બિનવારસ, unclaimed ચીજવસ્તુ પણ પ્રામાણિક માણસે ગ્રહણ ન કરવી ૧૬૬ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy