SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સ્તન પ્રયોગ – એટલે ચોરને ચોરી કરવાના પ્રયોગો બતાવે, તેને હિંમત આપે, ઉત્તેજન આપે, તેને હથિયાર, ચીજવસ્તુઓ, અન્ન, વસ્ત્ર, આશ્રય વગેરે પૂરાં પાડે. ૨. તાહતદાન – એટલે ચોર ચોરી કરીને જે માલ લાવ્યો હોય તે લેવો. એ તો કુદરતી જ છે કે ચોરીનો માલ સસ્તો મળે, કારણ કે ચોરને થોડી મહેનતે – થોડા જોખમે ઘણી કીમતી વસ્તુઓ મળી જાય છે. વળી પકડાઈ જવાની બીકે ચોરને તે વસ્તુઓ વેચી દેવાની ઉતાવળ હોય છે. એકંદરે ચોરીના માલ માટે ચોર લોકો બજારની વધઘટની બહુ રાહ ન જુએ કે માલને વધુ વખત પકડી ન રાખે. આથી ચોરીનો માલ બજાર ભાવ કરતાં ઘણો સસ્તો મળે. એથી એના વેચાણમાંથી નફો સારો મળે. કેટલાયે વેપારીઓને ચોરીના માલની લે-વેચની ફાવટ આવી જાય છે. ૩. વિરુદ્ધરાજયાતિક્રમ – એટલે રાજ્યના કાયધની વિરુદ્ધ કાર્ય કરીને કમાવું. આ એક ગંભીર પ્રકારની ચોરી છે અને ક્યારે તે અતિચારમાંથી અનાચારમાં પરિણમે અને સજાને પાત્ર થાય તે કહી શકાય નહિ. પોતાના જ રાજ્યમાં સરકારી કરવેરાની ચોરી કરવાની વૃત્તિ દુનિયાના બધા દેશોમાં ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળશે. બે રાષ્ટ્રો વચ્ચેના કાયદાઓનું ઉલ્લંઘન કરી ધણ (જકાત) ભર્યા વગર ચોરી કરવી તે દાણચોરી છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતાં સસ્તી-મોંઘી વસ્તુની ખાનગીમાં હેરાફેરી કરીને કમાવવાની પ્રવૃત્તિ દુનિયાભરમાં ઘણી વધી ગઈ છે. ૪. હીનાધિકમાનોત્માન - તોલ અને માપમાં તે લેવાનાં જુદાં અને આપવાનાં જુદાં રાખીને એવી છેતરપિંડી કરીને કમાવાની લાલચને માણસ સહેલાઈથી જતી કરી શકતો નથી. તોલમાપમાં ઓછું આપી પોતે બરાબર આપે છે એવા ભ્રમમાં ઘરાકને રાખવાની કળા ઘણા વેપારીઓ કે ગુમાસ્તાઓ હસ્તગત કરી લે છે. ઘણા સુધરેલા સમૃદ્ધ દેશોમાં આ પ્રકારની ગેરરીતિ હવે અટકી ગઈ છે. પરંતુ અનાદિ કાળથી ચાલી આવેલી આવી ગેરરીતિ હજુ પણ પછાત ગરીબ દેશોમાં ચાલુ છે. જેઓ આવી રીતે કમાવાની વૃત્તિ રાખે છે તેની જાણ ઘરાકોને મોડીવહેલી થયા વગર રહેતી નથી અને એક વખત અવિશ્વાસ જન્મે એટલે સરવાળે એના વેપારને નુકસાન પહોંચે છે. આવી બાબતમાં પ્રામાણિકતા રાખી, પોતાની શાખ જન્માવી માણસ વધુ કમાઈ શકે છે. ૫ પ્રતિરૂપક – એટલે તેના જેવી હલકી વસ્તુ ભેળવીને લાભ ઉઠાવવો. અનાજ, ઘી, દૂધ, તેલ, મરી-મસાલા, દવાઓ, રેતી–ચૂનો, સિમેન્ટ, પેટ્રોલ વગેરે પ્રત્યેક વસ્તુમાં બનાવટ થઈ શકે છે. માણસની બુદ્ધિ જ્યારે અવળે રસ્તે ચાલે છે અને અદત્તાધન – વિરમણ = ૧૫૯ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy