SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કિસ્સા બને છે. ૩. સુગ્ધાડાં – જંતુઘૂડાણ એટલે યંત્ર ઉઘાડવું, તાળું તોડવું. જૂના વખતમાં યંત્રના પ્રકારની રચનાઓ માણસો પોતાનાં ઘર-દુકાનમાં કરાવતા. એને સંચ કહેતા. એવી ગુપ્ત રચના ક્યાં છે તેની બીજાને ખબર ન પડતી અને ખબર પડે તો તે કેમ ઉઘાડવું તે આવડે નહિ. એવી રચનાઓ પણ હોશિયાર ચોર ઉઘાડતા. એવા સંચ હવે બહુ રહ્યાં નહિ. તાળાંતિજોરી આવ્યાં. તે પણ ઉઘાડીને ચોરી કરી લેનાર માણસો દુનિયામાં ઓછા નથી. ૪. પડિયાટ્યૂહરણ – એટલે કોઈની પડી ગયેલી વસ્તુ ઉઠાવી લેવી. માણસનો ચોરી કરવાનો સ્પષ્ટ આશય ન હોય અથવા પોતે ચોરી કરવા નીકળ્યો ન હોય, પણ કોઈ જગ્યાએ કોઈની કીમતી ચીજવસ્તુ પડી ગઈ હોય તો તે ઉઠાવી લઈને પોતાના ખિસ્સામાં મૂકી દેવાની ઈચ્છા ઉપર કાબૂ રાખવાનું સરળ નથી. સારા સંસ્કાર હોય તો જ આવી ઇચ્છા ન થાય. ૫. સસામિયવયૂહરણ – એટલે કે કોઈ ચીજવસ્તુ તેના સ્વામીની પાસે હોય અથવા એના સ્વામીની ત્યા ઉપસ્થિતિ હોય, તેવે વખતે એવી વસ્તુ છીનવી લઈને કે ઉપાડી લઈને ભાગી જવું તે ઉઘાડી ચોરી અથવા લૂંટ છે. ચોરીનો આ પણ એક પ્રકાર છે. અહીં આ જે પાંચ પ્રકાર બતાવ્યા છે તે એવા ગંભીર છે કે જે રાજ્યની દૃષ્ટિએ અપરાધરૂપ છે, ગુનો છે અને તે સજાને પાત્ર છે. આ સ્થૂલ મોટી ચોરી તે અદત્તાદાન વિરમણ વ્રતના ભંગરૂપ છે. મોટી ચોરીના આ પાંચ પ્રકાર ઉપરાંત દેશકાળ અનુસાર બીજા પણ પ્રકારો હોઈ શકે છે. રાજ્યના કાયદાની દષ્ટિએ સજાપાત્ર હોય એવી ચોરીના અન્ય પ્રકારો પણ આમાં ઉમેરી શકાય. ચોરીના આ ગંભીર પ્રકારો ઉપરાંત એથી થોડા ઓછા ગંભીર પ્રકારો છે જે વ્રતને દૂષણ લાડવા બરાબર છે ! એની ગણના અતિચારમાં કરવામાં આવે છે. અસ્તેયવ્રતના પાંચ અતિચાર બતાવતાં “તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : स्तेनप्रयोग तदाहृतादान - विरुद्धराड्यातिक्रम हीनाधिकमानोन्मान - प्रतिरुपक व्यवहार । (૧) સ્તન પ્રયોગ (૨) તદાત્તાદાન (૩) વિરુદ્ધ રાજ્યોતિક્રમ ૪) હીનાધિકમાનોન્માન અને (૫) પ્રતિરૂપક એ અસ્તેય વ્રતના અતિચાર છે. અનાચાર કરતાં અતિચારમાં દોષની માત્રા થોડી ઓછી હોય છે. જોકે અસ્તેય વ્રતના અતિચાર એવા છે કે તેનું આચરણ કરનાર ક્યારે મયદાનો ભંગ કરીને અનાચાર આચરશે તે કહી શકાય નહિ. ૧૫૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy