SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આવા આશયથી થાય છે. કેટલીક કલાકૃતિઓની ચોરી તેના સંગ્રહકારો કે તેના દલાલો દ્વારા થતી હોય છે. અચિત્તની ચોરીનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. ૨. સચિત્તની ચોરી સચિત્તની ચોરી એટલે જીવોની ચોરી. પ્રાણીઓની ચોરીમાં પાળેલાં ગાય, ભેંસ, ઘેટાં, બકરી, કૂતરાં, બિલાડી વગેરેને ઉપાડી જવાની અને એના પૈસા ઉપજાવવાની ઘટનાઓ દુનિયામાં બધે જ બને છે. પશુ-પંખીઓની દાણચોરીની ઘટના પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધી ગઈ છે. પાળેલી ગાયો કે ભેંસોને ઉપાડી જઈ તેનાં શિંગડાંને રસાયણ લગાડી ગરમ કરી એના આકાર બદલી નાંખવામાં આવે છે કે જેથી તે ઓળખી ન શકાય. દાસ, નોકર, ચાકર, રસોઇયા, મુનીમ વગેરેને વધુ લાલચ આપી લઈ જવાના બનાવો બને છે. કોઈકની પત્નીને ઉઠાવી જવાની ઘટનાઓ પણ પ્રાગૈતિહાસિક કાળથી જાણીતી છે. સીતાહરણ, ઓખાહરણ, રુક્મિણીહરણ, સંયુક્તાહરણ જેવી ઘટનાઓ સુપ્રસિદ્ધ છે. પુરુષોને ઉપાડી જવાની ઘટનાઓ પણ બને છે. શિષ્યોની ચોરી ધર્મના ક્ષેત્રે જાણીતી છે. આમ, સચિત્તની ચોરીનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. સ્થૂલ મોટી ચોરીના મુખ્ય પાંચ પ્રકાર બતાવતા શ્રાવક પ્રતિક્રમણમાં કહ્યું છે ઃ -- अदिन्नादाणं पंचविहे पण्णत्तं तं जहा- खत्तखणणं, गंठिभेयणं, जंतुग्धाडणं, पडियवत्थूहरणं, ससामियवत्थूहरणं । અદિન્નાદાન એટલે કે ચોરીના પાંચ પ્રકાર છે. (૧) ખત્ત-ખણોં (૨) ગંઠિભેયર્ણ (૩) જંતુગ્વાડણું (૪) પડિયન્નૂહરણ અને (૫) સસામિયતવ્યૂહર ૧. ખત્તખણણું – ખત્તખણણું એટલે ખાતર પાડવું. જૂના વખતમાં આ પ્રકારની ઘટના વિશેષ બનતી. જ્યારે ઇલેક્ટ્રિક દીવાબત્તી હતાં નહિ, ત્યારે અંધારાનો લાભ લઈ રાત્રિ દરમિયાન ચોર લોકો ઘરની પાછળની ભીંતમાં બાકોરું પાડી, ઘરમાં ઘૂસીને ચોરી કરી જતા. અંધકાર, અમાસની રાત્રિ એ ચોરને માટે આશીર્વાદરૂપ ગણાતી. આ પ્રકારની ચોરીને ખાતર પાડવું' કહેવાય છે. એવી ચોરીનું પ્રમાણ હવે નહિવત રહ્યું છે, પરંતુ ઘરનાં બારણાં તોડીને, ઉઘાડીને ચોરી કરવાની ઘટના હજુ બન્યા કરે છે. ૨. ગંઠિભેયણું – ગાંઠ છોડીને અંદરથી વસ્તુ કાઢી લેવી. જૂના વખતમાં જ્યારે તાળા નહોતાં અથવા ઓછા હતાં. ત્યારે લોકો પોટલી, પોટલાં, ગાંસડી વગેરે કરતાં. અને ઉપર ગાંઠ મજબૂત મારતા. એવી ગઠરી છોડીને એમાંથી વસ્તુઓ ચોરી લેવાના કિસ્સા બનતા. વર્તમાન સમયમાં પણ બૅગ કે પેટી ખોલીને તેમાંથી ચોરી કરી લેવાના Jain Education International અદત્તાદાન વિરમણ * ૧૫૭ – For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy