SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ ગુરુ-અદત્તનો દોષ ગણાય છે. એવા દોષથી બચવું જોઈએ. ચોરીના પ્રકારોનું જૈન પારિભાષિક પદ્ધતિએ એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ૧. દ્રવ્યચોરી – દ્રવ્ય એટલે પૂલ પદાર્થ, દ્રવ્ય ચોરી એટલે રોકડ નાણાં, ઘરેણાં, ચીજ – વસ્તુઓની ચોરી કરવી તે. એમાં ખોટાં તોલમાપથી, ભેળસેળથી, ખોટાં બિલ બનાવી, હિસાબમાં ઘાલમેલ કરી ખાનગીમાં પોતાનું કમિશન રખાવી કે સરકારી કરવેરા ન ભરી કે ખોટી રીતે ઓછા ભરી જે નાણાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ થાય છે તે પણ દ્રવ્ય ચોરી છે. ૨. ક્ષેત્રચોરી - એટલે જમીન, ખેતર વગેરેના વેચાણમાં અપ્રમાણિકતા આચરવી, કોઈની જમીન દબાવી લેવી, નધણિયાતી જમીન પચાવી પાડવી વગેરે ક્ષેત્રચોરી તરીકે ગણાય. તદુપરાંત ગ્રામ, નગર, વન, ઉદ્યાન વગેરેમાં રહીને ચોરી કરવી તે પણ ક્ષેત્ર ચોરી તરીકે ઓળખાય છે. ૩. કાલચોરી – એટલે નિશ્ચિત કાલે, દિવસે કે રાત્રે ચોરી કરવી તે કાલચોરી. તદુપરાંત નિયમ કરતાં ઓછા કલાક કામ કરવું, નોકર પાસે વધારે કલાક કામ કરાવી લેવું, જાણીજોઈને કામ વિલંબમાં નાખી દેવું, પગારનાં, બિલનાં કે બીજાં નાણાં ચૂકવવાનાં હોય તેના કરતાં મોડાં ચૂકવવાં, વ્યાજ-ગણતી વખતે અમુક દિવસો કાપી લેવા કે દિવસોના ખોટા આંકડા બતાવવા ઈત્યાદિ પ્રકારે પોતાના હક કરતાં વધુ - ધનપ્રાપ્તિ કરી લેવી તે કાલચોરી છે. ૪. ભાવચોરી – ચોરી કરવાની શક્યતા ન હોય છતાં મનમાં ચોરી કરવાના ભાવનું સેવન કરવું તે ભાવચોરી, વળી બીજાના ભાવ કે વિચારને પોતાના તરીકે બતાવવાની વૃત્તિ કવિ, લેખકોને કેટલીક વાર થાય છે, આ પ્રકારની ઉઠાંતરી તે પણ ભાવચોરી છે. વાક્ય કે ગાથાનો જાણી જોઈને જુદો અર્થ કરવો તે પણ ભાવચોરી ચોરીના પ્રકાર નીચે પ્રમાણે પણ બતાવવામાં આવે છે: (૧) અચિત્તની ચોરી અને (૨) સચિત્તની ચોરી ૧. અચિત્તની ચોરી : અચિત્તની ચોરી એટલે નિર્જીવ ચીજવસ્તુઓની ચોરી. ધન, ઘરેણાં, કીમતી ચીજવસ્તુઓ, સાધનો, ઉપકરણો, ચિત્રો વગેરેની ચોરી એ અચિત્તની ચોરી છે. કેટલીક ચોરી નિર્ધન માણસો દ્વારા પોતાની આજીવિકા માટે થાય છે. કેટલીક દુર્લભ વસ્તુઓની ચોરી માત્ર લાલસા કે વાસનાથી પ્રેરાઈને કરાય છે. ઘરેણાં વગેરેની ચોરી સાધન-સંપન્ન મહિલાઓ દ્વારા જ્યારે થાય છે ત્યારે તે ૧૫૬ - જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy