SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વડે દુ:ખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે.] अदत्तहारिणो रूवे म्हाभिभूयस अतित्तस्स परिग्गहे યા मायामुसं वड्ढई लोभादोषा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભથી આકર્ષાઈને માયા અને અસત્યના દોષોને વધારી મૂકે છે, છતાં તે દુઃખથી છૂટી શકતો નથી.] मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले य दुही दुरंते । एयं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ॥ જૂઠ્ઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમજ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનારો હંમેશાં અસહાય અને દુઃખથી પીડિત રહે છે.] કેટલાંક સાધારણ સ્થિતિનાં માણસોને કોઈ વાડીમાંથી, મંદિરમાંથી કે કોઈ સંસ્થામાંથી શ્રીફળ, સોપારી, પેંડા, લાડુ, ફળ-ફળાદિ મફત મળતાં હોય તો પછી એવું મફત મેળવવાની તેમને આદત પડી જાય છે. એવી વસ્તુ માટે પછી નાણાં ખર્ચવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને ગમતું નથી. એમ કરતાં કરતાં એમનામાં પણ એવી નાનીનાની ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ પડી જાય છે. એટલા માટે પોતાને કોઈ વસ્તુ હકપૂર્વક મફત મળતી હોય તોપણ એવી વસ્તુ દીર્ઘકાળ સુધી મફત મેળવવી ન જોઈએ કે જેથી એના ખોટા સંસ્કાર પોતાના જીવનમાં ઊંડા ઊતરે. માત્ર ગરીબ લોકો જ ચોરી કરે છે એવું નથી, શ્રીમંતો પણ ચોરી કરે છે. શ્રીમંતો એમના પ્રકારની વેપાર-ધંધામાં ચોરી કરે છે. કેટલીક વાર વ્યવહારમાં ચોરીના નામને પાત્ર ન ગણાય એવી અથવા રાજ્યના કાયદા દ્વારા સજા ન થાય એવી તેઓની ચોરી હોશિયારી, આવડત, કુનેહમાં ખપાવવામાં આવે છે. નાની નાની ચીજવસ્તુઓની શ્રીમંતો કે સાધનસંપન્ન સુખી લોકો દ્વારા જે ચોરી થાય છે એનો તો વળી વિષય જ જુદો છે. ચોરી એ ગુનો છે એવા ભયથી ઘણા અટકે છે. પરંતુ કેટલાકને નાનપણથી કે મોટી વયે વારંવાર ચોરી કરવાનું મન થાય છે. વખત જતાં ચોરી એમને માટે વ્યવસનરૂપ બની જાય છે. અને એથી આગળ જતાં ચોરી એમને માટે માનસિક રોગ બની જાય છે. આવા રોગને અદત્તાદાન વિરમણ ૧૫૩ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy