SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષથી પ્રેરાઈને ચોરીનું ભારેમાં ભારે દુષ્કર્મ કરવાની શક્યતા રહેલી છે. મનુષ્યનું કુટિલ ચિત્ત અણહકનું મેળવવાના અનેક રસ્તા શોધી કાઢે છે અને તે મેળવીને તેમાં રાચે છે. જેમ જમાનો આગળ વધતો જાય તેમ તેમ ચોરી કરવાના નવા નવા પ્રકારો, નવા નવા પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ વગેરે શોધાતાં રહે છે. આવાં કામોમાં પણ મનુષ્યનું ફળદ્રુપ ભેજું વિવિધ રીતે કામ કરવા લાગે છે. અત્યારે દુનિયાભરમાં વૈજ્ઞાનિક પ્રગતિને કારણે ઇલેક્ટ્રોનિક સાધનો અમલમાં આવ્યાં છે. કમ્પ્યૂટરે દુનિયાભરમાં ઘણી મોટી ક્રાંતિ આણી છે અને ઘણાંબધાં કામો સરળ બનાવી દીધાં છે. બીજી બાજુ કમ્પ્યૂટરને કારણે દુનિયાના પ્રગતિશીલ સમૃદ્ધ દેશોમાં પણ માહિતીની ચોરી ઘણી વધી ગઈ છે. બેંકોનાં ખાતાંઓમાંથી ઉઠાંતરી કરવાના કિસ્સા પણ ઘણા વધી ગયા છે. Electronic Fraud એ આધુનિક જગતનો અદત્તાદાનરૂપી એક મોટો રોગ છે. ચોરીનો વિષય ઘણો વિશાળ છે. એના પ્રકારો અનેક છે અને વખતોવખત નવા નવા શોધાતા જાય છે. ચોરી વિનાનો માનવજાતનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધાં જ માણસો ધનવાન, સુખી અને સાધનસપન્ન હોય તોપણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઈ શકે, કારણ કે અનાદિકાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી. જ્યાં સુધી મોહ, લોભ જેવા કષાયો છે, ચીજવસ્તુઓ માટેની આસક્તિ છે, સંગ્રહવૃત્તિ છે, ત્યાં સુધી ચોરી રહેવાની. રાજ્યો દ્વારા સજા થવાના ભયને લીધે અને ચોકીપહેરાને લીધે ઘણી ચોરી અટકે છે. વળી માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતાં અટકાવ્યાં છે. માનવજાત ઉ૫૨ આ રીતે તાળાનો ઉપકાર ઘણો મોટો છે. બીજી બાજુ તાળું એ માનવજાતનું કલંક છે, કારણ કે તે અવિશ્વાસનું પ્રતીક છે. ચોરી કરવાનાં જે કેટલાંક કારણો છે તેમાંનું એમ મુખ્ય કારણ છે લોભ. લોભી માણસ ક્યારે ચોરી કરશે તે કહી શકાય નહિ. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્ર’ના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परंस्स लोभाविले आययई अदत्तं ॥ મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ ૧૫૨ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy